મોરબી નજીક પરપ્રાંતીય મજૂરની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા મચી ચકચાર

મોરબી(ગુજરાત): મોરબીમાં વાંકાનેર હાઇવે પર આવેલા લખધીરપુર રોડ ઉપર ડીકમ્પોઝ થયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. તેથી બી ડિવિઝન પોલીસે તપાસ શરુ કરી હતી.…

મોરબી(ગુજરાત): મોરબીમાં વાંકાનેર હાઇવે પર આવેલા લખધીરપુર રોડ ઉપર ડીકમ્પોઝ થયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. તેથી બી ડિવિઝન પોલીસે તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન મૃતદેહ પરપ્રાંતીય મજૂરનો હોવાનું સામે આવ્યું હતું.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, સવારના 11 વાગ્યાની આસપાસ મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લખધીરપુર રોડ પરથી એક લાશ મળી આવી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ ઘટના સ્થળે જઈને તપાસ શરુ કરી હતી અને લાશ ડીકમ્પોઝ હાલતમાં હોવાથી રાજકોટ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં મૃતકનું નામ નિશિકાંતદાસ મોહનદાસ ગૌત્ર હોવાનું સામે આવ્યું હતું. એફ.આઇ.સુમરોએ જણાવ્યું મુજબ, તેનું મોત બીમારીને લીધે થયું છે.

અત્રે ઉલેખનીય છે કે, મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા મોહનભાઈ હરિભાઈ ચાવડા નામના 51 વર્ષના આધેડને મિત્ર સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો ગંભીર બની ગયો હતો કે, મારામારીમાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *