કોરોના વચ્ચે લોન લેનારાઓ ખાસ ચેતજો, સુરત શહેરમાં એવી ઘટના સર્જાઈ કે…

Published on Trishul News at 12:44 PM, Fri, 9 October 2020

Last modified on October 9th, 2020 at 12:44 PM

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આ મહામારીની અસર તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં કોરોનાનો વધી રહેલ વ્યાપ અટકાવવા માટે થોડા સમય પહેલા લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો. આવા સમયમાં તમામ ધંધા-રોજગાર ભાંગી પડ્યા હતા.

ઘણા લોકોને તો પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. આ મહામારીની સૌથી વધારે અસર તો મધ્યમ વર્ગીય તેમજ મજુર વર્ગમાં જોવા મળી રહી છે. આવા કપરા આઆ કેટલાક લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે તો ઘણા લોકોને આપઘાત કરવાનો વારો આવ્યો છે.

કોરોનાના સમયમાં દેશમાં તેમજ ગુજરાતમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો જ થઈ રહ્યો છે. એકબાજુ કોરોના અને બીજી બાજુ અતિભારે વરસાદ એમ બન્ને બાજુથી તકલીફોનો સામનો કરતા ખેડૂતોને પણ આ વર્ષે રોવાનો વારો આવ્યો છે.

અતિભારે વરસાદને કારણે પાક બળી જવાથી તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પણ ઘણા ખેડૂતોએ આપઘાત કરી લીધો હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  હાલમાં પણ આપઘાતની આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે.

સુરતમાં આવેલ ઉધના વિસ્તારમાંથી આત્મહત્યાની ઘટના સામે આવી રહી છે. છેલ્લા 9 મહિનાથી બેકાર બેઠેલો સેલ્સમેન બેન્કોમાંથી લીધેલ લોનના હપ્તા નહીં ભરી શકતા યુવકે આત્મહત્યા કરી લીધી હતી. મુળ મહારાષ્ટ્રમાં આવેલ નંદુરબારના વતની હાલમાં સુરતમાં આવેલ ઉધના વિસ્તારમાં આવેલ એમજી રોડ પાવર હાઉસ નજીક તુરાવાવાડીમાં રહેતા માત્ર 36 વર્ષનાં નૈનેશ વસંતભાઈ બારીએ બુધવારનાં રોજ બપોરે ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

નૈનેશ સેલ્સમેનનું કામ કરતો હતો તથા સંયુક્ત પરિવારની સાથે રહેતો હતો. નૈનેશે HDFC બેન્કમાંથી કુલ 2.50 લાખ રૂપિયાની અંગત લોન, કોટક મહિન્દ્રા બેન્કમાંથી કુલ 1.60 લાખ રૂપિયાની ઇકો કાર માટે લોન લીધેલ હતી. આની સાથે જ પ્રધાનમંત્રી આવાસમાં મકાન માટે લોન લીધી હતી. છેલ્લા 9 મહિનાથી કામધંધો ન મળતા આત્યંતિક પગલું ભરી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "કોરોના વચ્ચે લોન લેનારાઓ ખાસ ચેતજો, સુરત શહેરમાં એવી ઘટના સર્જાઈ કે…"

Leave a comment

Your email address will not be published.


*