જુઓ કેવી રીતે કોરોના નિયમોને ખિસ્સામાં રાખી ‘હમ સબ કી પરવાહ ક્યું કરે’ ના ગીત પર જુમ્યા ભાજપના કાર્યકરો

ગુજરાત(Gujarat): રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલ સંત સંમેલન પછી ભારતીય જનતા પાર્ટી(BJP)ના કાર્યકરો પોઝિટિવ આવતાં દરિયાપુર(Dariapur) વિધાનસભા મતવિસ્તાર માટેનો પ્રશિક્ષણ વર્ગ અધવચ્ચે બંધ કરવાનું ઉપરથી ફરમાન…

ગુજરાત(Gujarat): રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલ સંત સંમેલન પછી ભારતીય જનતા પાર્ટી(BJP)ના કાર્યકરો પોઝિટિવ આવતાં દરિયાપુર(Dariapur) વિધાનસભા મતવિસ્તાર માટેનો પ્રશિક્ષણ વર્ગ અધવચ્ચે બંધ કરવાનું ઉપરથી ફરમાન આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ઉજવણી શરુ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ડાન્સ કરનારા કેટલાક દારૂ પીને આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. શહેર ભાજપ મહામંત્રી કૌશિક જૈન, અમદાવાદ પશ્ચિમના હોમગાર્ડ જિલ્લા કમાન્ડર જબ્બારસિંહ શેખાવત, દરિયાપુરના વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કેટલાક કોર્પોરેટર તેમજ દરિયાપુર વોર્ડની ચૂંટણી લડેલા કેટલાક ઉમેદવારો, મહિલા નેતાઓ આ ઉજવણી(Celebration)માં જોડાયેલા જોવા મળ્યા હતા.

દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રશિક્ષણ વર્ગ અધવચ્ચેથી જ ઉપરની સૂચનાને કારણે અટકાવી દેવામાં આવ્યો હતો. આ વર્ગ મોકૂફ રહેતાં ખુશખુશાલ થયેલાં ભારતીય જનતા પાર્ટીના શહેર ભાજપ મહામંત્રી કૌશિક જૈન સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉજવણી શરુ કરી દીધી હતી. સામાજિક અંતર કે માસ્કની ચિંતા કર્યા વિના તેઓ હમ સબકી પરવાહ કરે ક્યું, દમ મારો દમ ગીત ઉપર જુમતા જોવા મળ્યા હતા અને તેનાથી વિવાદનો કોકડો ઘેરો બન્યો છે. આ કાર્યક્રમ થોડા દિવસ પહેલાં યોજાયો હોવાનું ભારતીય જનતા પાર્ટીના સૂત્રોનું કહેવું છે.

વાત કરવામાં આવે તો તે પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી. તમામ રાજકીય પાર્ટીઓ મોટા મોટા તાયફાઓ કરીને પોતાનો તો જીવ જોખમમાં મૂકી રહી છે પરંતુ સાથે સાથે આમ જનતાને પણ તેનો શિકારી બનાવી રહી છે. જો આવીને આવી પરસ્થિતિ સર્જાતી રહેશે તો અગામી સમયમાં કોરોના બેકાબુ બને તો તેમાં કોઈ શંકાને સ્થાન નહી.

જો આવી જ રીતે રાજકીય પાર્ટી રાજકીય મેળાવડા કરતા રહેશે તો આગામી સમયમાં આનો ભોગ સામાન્ય જનતાને બનવું પડી શકે છે. સરકારની સુચના અને નિયમોની ઉપરવટ જઈને જે કાર્યક્રમો રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે અત્યંત નિંદનીય છે. જો આવી જ રીતે લોકોને પોતાના રાજકીય મેળાવડામાં એકત્રિત કરતા રહેશે તો કોરોનાના કેસોમાં એક સાથે મોટો ઉછાળો આવી શકે છે.

ભાજપ, કોંગ્રેસ કે આપ તમામ પાર્ટી કોરોનાને ભૂલીને મોટા મોટા કાર્યક્રમો કરી રહી છે. જો આવી જ રીતે કાર્યક્રમો શરુ રહેશે તો આગામી સમયમાં તેનો ભોગ સામાન્ય જનતાને બનવું પડશે. નેતાઓને વારંવાર કહેવા છતાં પણ રાજકીય નેતાઓ સુધરવાનું નામ નથી લઇ રહ્યા. કોરોનાના નિયમો અંગેના બણગા ફૂકતા નેતાઓ જ પોતાના કાર્યક્રમમાં મોટી મોટી ભીડ ભેગી કરી રહ્યા છે.

ત્યારે આ રાજકીય પાર્ટી પર પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે શું? આ કોરોનાની મહામારી વચ્ચે યોજાઈ રહેલા કાર્યક્રમોમાં પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી? શું પોલીસ પર સરકારનું દબાણ છે? શું પોલીસ તંત્ર સરકારના ઈશારે કામ કરી રહ્યું છે? જો નહિ તો આ પ્રકારના કાર્યક્રમોને મંજુરી શા માટે આપવામાં આવે છે? અને જો મંજુરી વગર કાર્યક્રમો થઇ રહ્યા છે તો પછી પોલીસ તંત્ર કેમ આંખ આડા કાન કરીને મુક પ્રેક્ષક બનીને બેસી રહ્યું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *