ચોર એ કાશી વિશ્વનાથ મહાદેવને પણ ન છોડ્યા- જુઓ મહાદેવના મંદિરમાં ચોરે કઇ રીતે કરી ચોરી

સુરતના પાંડેસરામાં કાશી વિશ્વનાથ ભગવાનના મંદિરમાં મધરાત્રે અજાણ્યા ઇસમે 30 મિનિટમાં દાનપેટી તોડી લાખોની ચોરી કર્યા બાદ શિવનાગને પણ ઉખાડવાનો પ્રયાસ કરતા ભક્તોમાં રોષની લાગણી…

સુરતના પાંડેસરામાં કાશી વિશ્વનાથ ભગવાનના મંદિરમાં મધરાત્રે અજાણ્યા ઇસમે 30 મિનિટમાં દાનપેટી તોડી લાખોની ચોરી કર્યા બાદ શિવનાગને પણ ઉખાડવાનો પ્રયાસ કરતા ભક્તોમાં રોષની લાગણી જોવા મળી છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા અજાણ્યા ઇસમે રેકી કરી મંદિરમાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. આ અગાઉ આજ મંદિરમાં લગભગ બે વખત ચોરી થઈ ચૂકી હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું છે. ઉત્તર ભારતીયોના પૂજાપાઠવાળા આ મંદિરમાં આખું વર્ષ દાનપેટીમાં આવેલી રકમથી જ શિવરાત્રીનો ઉત્સવ કરવામાં આવે છે.

પેહલા રેકી કરી મંદિરમાં ચોરી કરી

વિડીયો માં જોઈ શક છે તેમ ધર્મરાજ સિંગ (મંદિરના પૂજારી)એ જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બાબત છે. રાત્રે લગભગ 12:30 વાગ્યા સુધી આ મંદિરમાં પૂજારી અને ભક્તો રહેતા હોય છે. ત્યારબાદ રાત્રે 1 વાગ્યા પછી આ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એક અજાણ્યો ઇસમ પહેલા રેકી કરે છે ત્યારબાદ પ્રવેશ દ્વાર તોડી અંદર પ્રવેશ કરે છે અને દાનપેટી તોડી તમામ રકમની થેલીઓ ભરે છે. ત્યારબાદ ભગવાન શિવજીના શિવનાગને પણ  ઉખાડવાનો પ્રયાસ પણ કરે છે આવી અનેક હરકતો સીસીટીવીમાં કેદ થઈ છે. માત્ર 30 મિનિટમાં ચોરી કરી અજાણ્યો વ્યક્તિ ભાગી જાય છે. હાલ પાંડેસરા પોલીસને આ બાબતે જાણ કરી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *