એક જ ઘરમાં થયા ત્રણેય બહેનોના લગ્ન, પરંતુ આ કારણે ત્રણેય બહેનોએ એક સાથે કૂવામાં જંપલાવ્યું

હાલ રાજસ્થાન (Rajasthan)ના જયપુર (Jaipur)થી એક ખુબ જ દુ:ખદ ઘટના સામે આવી છે. જયપુરના ડુડુ વિસ્તાર (Dudu area)માં આવેલા એક કૂવામાંથી એક જ પરિવારના પાંચ…

હાલ રાજસ્થાન (Rajasthan)ના જયપુર (Jaipur)થી એક ખુબ જ દુ:ખદ ઘટના સામે આવી છે. જયપુરના ડુડુ વિસ્તાર (Dudu area)માં આવેલા એક કૂવામાંથી એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તેમજ ઘટનાની જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી.

જાણવા મળ્યું છે કે, એક જ પરિવારની ત્રણ બહેનોએ આ કુવામાં પોતાના જીવન ટૂંકાવી દીધા હતા. આ ત્રણેય બહેનોના લગ્ન એક જ પરિવારમાં થયા હતા અને બે બાળકો પણ હતા. તેમજ ત્રણ મહિલામાંથી બે મહિલાઓ ગર્ભવતી હતી. તેથી 25 મેના રોજ ત્રણેય બહેનો પોતાના બાળકો લઈને બજારમાં જવાના બહાને ઘરેથી નીકળી હતી. આ દરમિયાન ઘણો સમય વીતી જવા છતાં પણ મહિલાઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.

શોધખોળ કરવા છતાં પણ ત્રણેયનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેને પગલે પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારે તપાસ દરમિયાન ત્રણેયની લાશ એક કુવામાંથી મળી આવી હતી. ત્યારે આ અંગે મહિલાઓના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, મારી બહેનોને તેના સાસરિયાના લોકો પરેશાન કરતા હતા. જેને પગલે પોલીસે બધી તપાસ કરીને સાસરી પક્ષના કેટલાક સભ્યોની પુછપરછ કરી હતી. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં જયપુર ગ્રામીણ એસપી મનીષ અગ્રવાલે પણ જણાવતા કહ્યું હતું કે, ત્રણ બહેનોમાંથી એક મહિલાએ તો વોટ્સએપ પર સ્ટેટસ પણ મૂક્યું હતું. આ ત્રણેય બહેનો જીવનમાં આગળ વધવા માટે અભ્યાસ કરીને પોતાનું ગુજરાન ચલાવવા ઇચ્છતી હતી, પરંતુ સાસરિયાના લોકોથી પરેશાન થઈને ત્રણેય બહેનોએ તેમના બાળકો સાથે એકસાથે પોતાના જીવન ટૂંકાવીને મોતને વ્હાલું કર્યું હતું. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *