પત્નીએ જ ટુંપો આપી પતિને પતાવી દીધો અને કહ્યું: ‘આપઘાત કર્યો છે’, પત્નીએ કહ્યુ કે, ‘અવારનવાર ઝઘડાથી કંટાળી ગઈ હતી’

આજકાલ હત્યાના કિસ્સામાં સતત વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન વિરપુર ગામે 3 દિવસ પહેલા તેના ઘરમાંથી જ યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. પત્નીએ…

આજકાલ હત્યાના કિસ્સામાં સતત વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન વિરપુર ગામે 3 દિવસ પહેલા તેના ઘરમાંથી જ યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. પત્નીએ પોલીસને જણાવ્યું હતુ કે, તેના પતિએ ફાંસો ખાઇ લીધો છે. પરંતુ, આ ઘટનામાં શંકા જતા પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પત્નીએ ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાનું બહાર આવતા મહિલાની અટક કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, મહેશભાઈ પ્રભુભાઈ ગામીત અને તેની પત્ની શર્મીલાબેન ગામીત વ્યારાના વિરપુર ગામમાં રહે છે. છેલ્લા કેટલાય સમયથી શર્મીલાબેન અને મહેશભાઈ સાથે અવાર-નવાર ઝઘડા ચાલુ રહેતા હતા. 18 તારીખે બપોરે 12 વાગ્યાના અરસામાં શર્મીલાબેન અને મહેશભાઈ વચ્ચે જમવા બાબતે બોલાચાલી અને સામાન્ય ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન શર્મીલાબેન વાંસની લાકડીથી મહેશભાઈના જમણા પગમાં સપાટો મારી ઇજા પહોચાડી હતી.

ત્યારબાદ બપોરના ચાર વાગ્યાના સુમારે મહેશભાઈ ઘરના નળીયાના લાકડા પર બાંધેલા દોરડા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા જેથી શર્મીલાબેને દોરડું તોડીને મહેશભાઈને નીચે ઉતાર્યા હતા અને પલંગ પર સુવડાવી દીધા હતા. તેમજ મહેશભાઈને સારવાર માટે ક્યાંક ન લઇ ગયા હતા. જેથી અડધો કલાક બાદ મહેશભાઈનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે નાનીચીખલી જુથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિપુલભાઈ ચૌધરીને જાણ થતા તે ઘટના સ્થળે આવ્યા હતા અને વ્યારા પોલીસમાં મહેશભાઈની પત્ની શર્મીલાબેન ગામીત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ દ્વારા પત્ની શર્મિલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આગળની વધુ તપાસ વ્યારા પી.એસ.આઇ એમ.આર જાની દ્વારા હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહેશભાઇની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા પૂછતાછમાં આરોપી મહિલા જણાવ્યું કે, તેના પતિ દ્વારા અવારનવાર ઝઘડો થયો હતો જેને લઇને કંટાળી ગયા હતા જેથી તેની પીઠ પર બેસી જઇ ઓઢણીના ટુકડા વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *