અમદાવાદમાં LG હોસ્પિટલમાં દર્દીના 2 સગાને નજીવા કારણ માટે સિક્યોરિટી ગાર્ડે માર્યો ઢોરમાર 

અમદાવાદ(ગુજરાત): અમદાવાદના મણિનગરની એલ. જી. હોસ્પિટલમાં ભરતી થયેલ દર્દીના 2 સગાંને અંદર જવા બાબતે સિક્યુરિટીના માણસોએ ઢોરમાર માર્યાનો બનાવ જોવા મળ્યો હતો. આ ઘટનામાં સિક્યુરિટીના…

અમદાવાદ(ગુજરાત): અમદાવાદના મણિનગરની એલ. જી. હોસ્પિટલમાં ભરતી થયેલ દર્દીના 2 સગાંને અંદર જવા બાબતે સિક્યુરિટીના માણસોએ ઢોરમાર માર્યાનો બનાવ જોવા મળ્યો હતો. આ ઘટનામાં સિક્યુરિટીના માણસોએ એક મહિલાને એટલી મારી કે તે સ્થળ પર બેહોશ થઈ ગઈ હતી. મણિનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે.

મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, બુધવારે સવારે સાડા સાત વાગે તેમની દીકરી માધુરીનું ઓપરેશન કરાવવાનું હોવાથી તેઓ એલ.જી. હોસ્પિટલમાં આવ્યા હતા. તેમની દીકરીનું ઓપરેશન શરુ હોવાથી તેઓ કેશ કાઉન્ટરની સમક્ષ બેઠા હતા.

આ દરમિયાન સિક્યુરિટીના માણસો તથા ત્રણ ચાર મહિલા સિક્યુરિટી ગાર્ડ ત્યાં આવી પહોચ્યા હતા. ત્યારબાદ એક આધેડ ઉંમરની મહિલાને વોર્ડમાં ન જવા બાબતે બોલાચાલી કરીને મારામારી શરુ કરી હતી. આ દરમિયાન તેમને છુટા પાડવા માટે સતીષસિંહ રાજપૂતે વચ્ચે પડ્યા હતા. તે વખતે સિક્યુરિટી સુપરવાઈઝર રૂપેશ જગદીશ શર્માએ વચ્ચે આવીને સતીષસિંહ સાથે મારામારી શરુ કરી હતી. આમ મણિનગર પોલીસ સ્ટેશનમાં દર્દીના બંને સગાં હાજરાબીબી અને સતીષસિંહને મારામારી કરનારા સિક્યોરિટી ગાર્ડની વિરુધ ફરિયાદ નોંધાવી હતી.

ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે આ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોચીને ગુનેગારો વિરુધ પગલાંની માગ કરી હતી. એટલું જ નહીં, પોલીસને દર્દીઓના સગાંને મારવાની ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાની માહિતી મળતાં આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *