સુરતમાં વિશ્વના સૌથી મોંઘા શ્રીગણેશજીની ભવ્યાતિભવ્ય રીતે થઈ સ્થાપના- કિંમત જાણીને દંગ રહી જશો

આજના દિવસથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ચુકી છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ગણેશ ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આજથી…

આજના દિવસથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ચુકી છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ગણેશ ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આજથી ગણેશ મહાપર્વની શરૂઆત થઈ ચુકી છે. શું તમે જાણો છો કે,સમગ્ર વિશ્વમાં સૌથી અમૂલ્ય ગણેશજીની સ્થાપના ક્યાં થાય છે.

આપને જણાવી દઇએ કે, સુરતમાં હીરા વેપારીએ સમગ્વિર સમગ્ર વિશ્વના સૌથી મોંઘા હીરામાં દેખાતા ગણેશજીની સ્થાપના ઘરે કરવામાં આવી છે કે, જેને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ’ દ્વારા વિશ્વના સૌથી યુનિક ગણાવ્યા છે. આ બહુમૂલ્ય ગણેશજીની કિંમત 600 કરોડથી પણ વધારે માર્કેટમાં આંકવામાં આવે છે.

જેના દર્શન કરવા અમેરિકા ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવાર ડેમૉક્રેટિક પક્ષની કમલા હૅરિસે પણ મંગાવે છે. અદભુત, અવિશ્વસનીય, અકલ્પનીય, આવા શબ્દો તમારા મોંમાંથી નીકળી જશે કે, જ્યારે તમે સુરતના વિશ્વના સૌથી દુર્લભ કહી શકાય એવા ગણેશા જોશો.

ગણેશજીની પ્રતિકૃતિ દેખાતા ગણેશને જોવા માટે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર કમલા પણ ઈચ્છા જાહેર કરી છે, તે પણ આ ગણેશજીના આશીર્વાદ લેવા માટે ખુબ ઉત્સુક છે. સમગ્ર દેશ-વિદેશના લોકો આ ઘરના ગણેશાથી આકર્ષિત થઇ જાય છે. હાલમાં આ 25 દેશોના મહત્વપૂર્ણ વ્યક્તિ પાસે આ ગણેશાની તસ્વીર છે.

અમેરિકામાં આવેલ કેલિફોર્નિયામાં પણ મંદિરમાં આ તસવીરો મૂકિ દેવામાં આવી છે કે, જેને જોઈને આ ગણેશા અંગે સામઢી અમેરિકા ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર ડેમૉક્રેટિક પક્ષની કમલા હૅરિસ દર્શન કરવા માટે ખુબ ઉત્સુક છે. મૂળ ભારતીય કમલા ગણેશજીના દર્શન કરવાની ઇચ્છા જણાવી છે.

કનુભાઈ આ ગણેશજીની તસવીર કમલા હેરિસને આપશે. આજે ગણેશ ચતુર્થી છે તેમજ હીરાની નગરી સુરત શહેર સમગ્ર વિશ્વના નજરે છે ત્યારે વિશ્વના સૌથી મોંઘા ગણેશજીની સ્થાપના સુરતમાં કરાઈ છે. સુરતના હીરા ઉદ્યોગપતિ કનુભાઈ અસોદરિયાએ વિશ્વના સૌથી મોંઘા ગણેશજીની સ્થાપના કરી છે.

આ ગણેશ રફ ડાયમંડમાં જોવા મળે છે. દર વર્ષે તેઓ પોતાના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર સ્થાપના કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 600 કરોડથી પણ વધારે ગણાવાઈ રહી છે ત્યારે કનુંભાઈ અસોદીયા ક્યારે પણ આ ગણેશજીની કિંમત બતાવતા નથી.

ગજાનનનું આ સ્વરૂપ સૂરતના હીરા વેપારી કનુ આસોદરિયા પરિવાર પાસે છે. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે. જેનુ વજન “182.3 કેરેટ” છે તેમજ “36.5 ગ્રામની” છે. આપને જણાવી દઇએ કે, કોહિનૂર “105 કેરેટ”નો હીરો છે જ્યારે ગણપતિની પ્રતિમા “182 કેરેટ 53 સેન્ટની” છે. જે કોહિનૂર હીરા કરતાં પણ મોટું છે. ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ’ દ્વારા આ હીરાને વિશ્વના સૌથી યુનિકનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *