શું તમે જાણો છો નવરાત્રિમાં જ્વારા ઉગાડવા પાછળ છે આ ખાસ કારણ. જાણી ને ચોંકી જશો.

દર નવરાત્રિમાં માતા માટે વ્રત કરવું, તેમની પૂજા કરવા ઉપરાંત પણ કેટલાક રિત રિવાજ હોય છે જેને પૂરા કરવામાં આવે છે. આ રીતી-રીવાઝ્માં એક છે…

દર નવરાત્રિમાં માતા માટે વ્રત કરવું, તેમની પૂજા કરવા ઉપરાંત પણ કેટલાક રિત રિવાજ હોય છે જેને પૂરા કરવામાં આવે છે. આ રીતી-રીવાઝ્માં એક છે ઘરમાં માટીના પાત્રમાં જુવારા ઉગાડવા.

માનવામાં આવે છે કે માતાની પૂજા જ્યાં થાય છે ત્યાં જુવારા ઉગાડવામાં આવે છે. નવરાત્રિમાં આ કામ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પરંતુ તેની પાછળ શું કારણ છે તેના વિશે લોકો હજુ પણ જાણતા નથી. તો આવો જાણીએ કે શા માટે નવરાત્રિમાં જુવારા ઉગાડવામાં આવે છે ?

આપણા પ્રાચીન ગ્રંથોમાં જણાવ્યું છે કે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારબાદ પહેલીવાર જવની ખેતી થઈ હતી. એટલા માટે જ દેવી દેવતાઓની પૂજા અને હવનમાં જવનો ઉપયોગ થાય છે.

જવ વાવવા પાછળનું અન્ય એક કારણ એ પણ છે કે તેના પરથી ભવિષ્યના સંકેત મળી શકે છે. આ ઉપરાંત માનવામાં આવે છે કે જવ અન્ન બ્રહ્મ છે અને આપણે અનાજનું હંમેશા સમ્માન કરવું જોઈએ. તેનું સ્થાન હંમેશા ઉચ્ચ હોય અને તેનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

નવરાત્રિના જવારાનું મહત્વ:

1. નવરાત્રિમાં વાવેલા જવારા જો શરૂઆતના ત્રણ દિવસમાં જ અંકુરિત થઈ જાય તો તેને શુભ માનવામાં આવે છે.

2. પરંતુ જો જવારા ઉગે નહીં તો તેને શુભ ગણવામાં નથી આવતું. તેનો અર્થ થાય છે કે ભવિષ્યમાં મહેનત કરવા છતા સફળતા પ્રાપ્ત થશે નહીં.

3. જવ ઉગે અને તેનો નીચેનો રંગ પીળો અને ઉપરનો રંગ લીલો હોય તો સમજી લેવું આગામી સમય સારો અને નબળો બંને રહેશે.

4. વાવેલા જવ સફેદ કે લીલા રંગમાં ઉગે તો તે શુભ ગણાય છે. તેનો અર્થ થાય છે કે આગામી સમય ખુશહાલીમાં પસાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *