શું કોરોના પોઝિટિવ માતા બાળકને સ્તનપાન કરાવી શકે? WHO એ આપ્યો જવાબ

કોરોના વાઇરસ આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. લોકોમાં કોરોનાને કારણે ખૌફનો માહોલ છે. એવામાં ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકને તાજેતરમાં જન્મ આપનારી મહિલાઓના મનમાં…

કોરોના વાઇરસ આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. લોકોમાં કોરોનાને કારણે ખૌફનો માહોલ છે. એવામાં ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકને તાજેતરમાં જન્મ આપનારી મહિલાઓના મનમાં ઘણા સવાલ ચાલી રહ્યાં છે. શું આ જીવલેણ કોરોના વાઇરસ માતા થકી બાળકના શરીરમાં દાખલ થઇ શકે છે? શું કોરોના સંક્રમિત મા બાળકને સ્તનપાન કરાવી શકે છે? આવા ઘણા સવાલો તેમના મનમાં ચાલી રહ્યાં છે. આવો જાણીએ આ તમામ સવાલો પર WHOનું શું કહેવું છે.

સ્તનપાનથી ચેપના કિસ્સા સામે આવ્યા નથી

WHO અનુસાર કોરોના વાઇરસથી સંક્રમિત મહિલાઓ દ્વારા નવજાત બાળકને સ્તનપાન કરવાના કારણે ચેપ લાગ્યો હોય તેવા કોઇ કિસ્સા સામે આવ્યાં નથી. માટે જે મહિલાઓ બાળકને સ્તનપાન કરવા માગે છે તે કરાવી શકે છે. જોકે, માટે મહિલાઓ કેટલીક કાળજી રાખવી પડશે.

આ બાબતોનું રાખો ધ્યાન

1. માતા હંમેશા માસ્ક પહેરી રાખવું જોઇએ. આ ઉપરાંત શ્વાસ લેવામાં હાઇજીનના નિયમોનું પાલન કરવાનું રહેશે.

2. નવજાત બાળકને અડતા પહેલા અને બાદમાં હાથ જરુર ધોવા. આ નિયમનું પાલન દરેક વખતે કરવાનું રહેશે.

3. બાળકને લઇને ઘર કે હોસ્પિટલમાં તમે જ્યાં જાઓ છો ત્યાં સાફ-સફાઇનું ખાસ ધ્યાન રાખો.

શું સંક્રમિત માતાથી બાળકમાં ફેલાઇ શકે છે કોરોના?

સીડીસી (સેન્ટ્ર ફોસ ડિસીસ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન)ની એક રિપોર્ટમાં લખ્યું છે કે અત્યાર સુધીના કેસોમાં કોરોના વાઇરસથી પીડિત જે મહિલાઓએ નવજાત બાળકને જન્મ આપ્યા છે, તે બાળકોમાં કોરોના વાઇરસ જોવા મળ્યો નથી. સાથે જ માતાના દુધમાં પણ આ વાઇરસ જોવા નથી મળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *