માત્ર આ નાનકડી ટ્રીકથી તમાકુ અને સિગારેટના વ્યસનથી મેળવો છૂટકારો- જાણવા ક્લિક કરો

વિશ્વભરમાં 31 મે ના રોજ ટોબેકો એટલે વિશ્વ તમાકુ દિવસ મનાવવામાં આવે છે. અનો મતલબ એમ થાય છે કે,  લોકો તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત થાય…

વિશ્વભરમાં 31 મે ના રોજ ટોબેકો એટલે વિશ્વ તમાકુ દિવસ મનાવવામાં આવે છે. અનો મતલબ એમ થાય છે કે,  લોકો તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત થાય અને તેમના આરોગ્યને નુકશાન પહોચાડે તેવી વસ્તુ થી દુર રહે. આ દિવસની શરૂઆત વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા કરવામાં આવી હતી. તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ગુટકા, પાન, તમાકુ અથવા બીડી અને સિગારેટનો નશો એ તમને મૃત્યુ તરફ ધકેલી શકે છે, એટલા માટે તમારે આવી હાનીકારક વસ્તુ થી દુર રહેવું જોઈએ.

વિશ્વ તમાકુ દિવસ ઉજવવા નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, લોકો ધૂમ્રપાનથી થતા નુકસાનને લઈને જાગૃત થાય. કેમ કે  ધૂમ્રપાન કરવાથી કેન્સરનું જોખમ રહે છે, આ લીટીઓ તમાકુ અને સિગારેટ ના પેકેટ ઉપર ચેતવણી રૂપ તરીકે લખેલી હોવા છતાં લોકો આ હાનીકારક વસ્તુનું સેવન કરતા રહે છે, જે તમને ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે. આ સમાચારમાં, અમે તમને આવી જ કેટલીક બાબતો જણાવી રહ્યા છીએ, જેના પગલે તમે ધૂમ્રપાનના વ્યસનથી છૂટકારો મેળવી શકો છો.

1. તમારી જાતને કામમાં વ્યસ્ત રાખો
ધૂમ્રપાનના વ્યસનથી બચવા માટે વ્યસ્ત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જ તમે તમારા દિવસની શરૂઆત નાસ્તા, વર્કઆઉટ, યોગ અને કામથી કરી શકો છે. અને ધૂમ્રપાન કરવાની ઇચ્છાને ટાળી શકાય.

2. જ્યારે મો માં કઇક ચાવવાની ઈચ્છા થાય ત્યારે શું કરવું
ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરતી વખતે, મોંમાં કંઈક ચાવવાની ઇચ્છા હોય છે. આવી સ્થિતિમાં, તમે સલાડ નો ડબ્બો તમારી સાથે રાખી શકો છો. ધૂમ્રપાન કરવાની ઇચ્છાને ટાળવા માટે તમે ચીન્ગમ પણ ચાવી શકો છો. વળી, ઇલાયચી અથવા વરિયાળી ચાવવાથી પણ ધૂમ્રપાન છોડવાની ઇચ્છા માં મદદ મળે છે.

3. મધ પીવો
જો તમારે પણ ધૂમ્રપાન કરવાની આદત છોડવી હોય તો તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં વિટામિન, ઉત્સેચકો અને પ્રોટીન હોય છે, જે તમને ધૂમ્રપાન છોડવામાં મદદ કરી શકે છે.

3. અજમો
અજમો મોઢામાં રાખો, પછી તમે ધીમે ધીમે તેની ટેવ ગુમાવશો. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમને ધૂમ્રપાન કરવાનું મન થાય, ત્યારે તમે તમારા મો માં અજમો નાખો અને તેને વચ્ચેથી ચાવો, જેથી તમને જલ્દી જ ફાયદો જોવા મળશે.

4. અશ્વગંધા અને શતાવરીનો છોડ
આ બંને ઔષધિઓ ઘણા રોગો સામે લડવામાં મદદગાર સાબિત થઈ છે. તમાકુ અથવા ધૂમ્રપાનનું નિયમિત સેવન કરવાથી શરીરમાં નિકોટિન જેવા ઝેરી તત્વ એકઠા થાય છે, પરંતુ અશ્વગંધા અને શતાવરી જેવી ઔષધિ  શરીરમાંથી ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે.

5. ફળો ખાવાનું શરૂ કરો
વિટામિન સી થી ભરપુર ફળો ખાવાનું શરૂ કરો. નારંગી, લીંબુ, આમળા અને જામફળ અને સફરજન વગેરે ખાવાથી તમે તમાકુની આદતથી છૂટકારો મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *