જેને કોરોના થયો જ નથી તેવા લોકો થવા લાગ્યા બ્લેક ફંગસનો શિકાર- જાણો શું છે તેની પાછળનું કારણ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

સામાન્ય રીતે કોરોના સંક્રમિત લોકો જ આ બ્લેક ફંગસની ઝપેટમાં આવે છે. પરંતુ મળતી માહિતી અનુસાર જે વ્યક્તિને અત્યાર સુધીમાં કોરોના નથી થયો તે લોકો પણ બ્લેક ફંગસનો શિકાર બની રહ્યા છે. હાલમાં જ એક ભયજનક સમાચાર મળી રહ્યા છે કે, વાસ્તવિકમાં પંજાબમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 158 કરતા પણ વધુ દર્દીઓ સામે આવ્યા છે. જયારે આ 158 દર્દીઓમાંથી 32 દર્દી તો એવા છે જે ક્યારેય કોરોના સંક્રમિત થયા જ નથી. છતાં પણ બ્લેક ફંગસનો શિકાર બની રહ્યા છે. જેને લીધે લોકોમાં ફફડાટ વ્યાપો છે.

અત્યાર સુધીમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે જે લોકો કોરોના સંક્રમિત થયા હોય છે તે વ્યક્તિને સારવારના સમયે સ્ટેરોઈડ્સ આપવામાં આવ્યા હતા. જેમને કારણે દર્દીઓમાં બ્લેક ફંગસનું સંક્રમણ ફેલાયું હતું. ઉપરાંત ડોક્ટરનું કહેવું છે કે  32 દર્દીઓ એવા છે જેમને બીજી અન્ય કોઈ બીમારી દરમિયાન સ્ટેરોઈડ્સ આપવામાં આવ્યા હતા.

એક ન્યુઝના રીપોર્ટ અનુસાર ડોકટર ગગનદીપ સિહના જણાવ્યા અનુસાર જે વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તેમને આ બીમારીનો ખતરો રહે છે. સાથે ડો. ગગનદીપ સિંહ જણાવતા કહે છે કે, બ્લેક ફંગસ કોઈના સંક્રમણમાં આવવાથી નથી ફેલાતો પરંતુ જો તેમની સમયસર ખબર પડી જાય તો તેમની સારવાર શક્ય બને છે. કોઈ પણ વ્યક્તિ જે કોઈ અન્ય બીમારીને કારણે સારવાર સમયમાં સ્ટેરોઈડ આપવામાં આવ્યા હોય તે દર્દી બ્લેક ફંગસનો શિકાર બની શકે છે. મહત્વનું છે કે પંજાબમાં 19 મે ના રોજ આ બીમારીને મહામારી જાહેર કરવામાં આવી છે.

કોરોના થયેલા કયા દર્દીઓને આ રોગ થઇ શકે છે?
જેની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય તેમને આ રોગ થવાની વધારેમાં વધારે શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને ડાયાબિટીસ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, લોહીના સફેદ ક્ણનું ખૂબ જ ઓછુ પ્રમાણ હોય, સ્ટેરોઈડની દવા ખૂબ લાંબા સમયથી ચાલુ હોય, આ બધા કેસમાં આ ચેપ લાગવાનો ભય રહે છે.

આ ચેપ કેવી રીતે લાગે છે?
આગળ જણાવ્યુ તેમ ફૂગના સૂક્ષ્મ કણો વાતાવરણમાંથી, જે નાક દ્વારા શરીરની અંદર ઘૂસી શકે છે. જો કે સારી વાત એ છે કે આ રોગ એક માણસમાંથી બીજા માણસમાં ફેલાતો નથી.

કેવી રીતે બચવું?
સદભાગ્યે આ ફૂગથી બચવા પણ માસ્કની જ સલાહ આપવામાં આવે છે. હયૂમીડીફાયર (નવું ભીનાશ વાળું ઓક્સિજન માસ્ક વાપરવો), ઓક્સિજન સિલિન્ડરના હયૂમીડીફાયરમાં પણ સાદું ઘરેલુ પાણીના બદલે નોર્મલ સલાઈનનું પાણી ભરવું. દરેક દર્દી માટે ઓક્સિજન માસ્ક તદ્દન નવું જ વાપરવું (ડીસ્પોસેબલ). સૌથી અગત્યની વાત ડાયાબિટીસને કાબુમા રાખવી ખુબ જરૂરી છે. અને નિષ્ણાત અને અનુભવી ડોક્ટરની સલાહ મુજબ વર્તવું જોઈએ.

પોસ્ટ કોવિડ અથવા કોવિડ પછીના મ્યુકોરમાયકોસિસના લક્ષણો
– અનિયંત્રિત ડાયાબિટીસ
– નાક બંધ
– નાકમાંથી ડિસ્ચાર્જ (ડહોળાયેલું અથવા ગંદુ પાણી નીકળે)
– માથાનો દુખાવો
– આંખો આસપાસ દુખાવો
– આંખોમાં સોજો
– મોં અને નાકની ત્વચાના રંગમાં ફેરફાર (કાળી પડી જાય)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *