‘આ ગાડી પ્રજાના પૈસે ફરે છે’ મનપાની ગાડીઓમાં લાગ્યા સ્ટીકર…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અવારનવાર સમાચાર સામે આવતા હોય છે. હાલમાં પણ રાજ્યમાં આવેલ જૂનાગઢમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે.…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અવારનવાર સમાચાર સામે આવતા હોય છે. હાલમાં પણ રાજ્યમાં આવેલ જૂનાગઢમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. જૂનાગઢમાં આવેલ જનતા ગેરેજનાં સભ્યો સોમવારે મનપા ખાતે દોડી ગયા હતા. અહિં એમના કાર્યકરોએ મનપાની કુલ 8 કારમાં સ્ટિકર મારી દીધા હતા.

આ વાતની જાણ મહાનગરપાલિકાનાં કર્મચારીઓને થતા એમને તાત્કાલિક પોલીસને જાણકારી આપી હતી. જનતા ગેરેજના કાર્યકર્તાઓ સ્થળ પર હાજર રહ્યા હતાં. જેને લીધે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને જનતા ગેરેજના કુલ 5 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. આ ગાડી પ્રજાના પૈસે ફરી રહી છે એવા સ્ટીકરો અધિકારીઓની ગાડીમાં લાગતા વાતાવરણ તંગ બની ગયું હતું.

એમનું જણાવવું હતું કે, મનપાની ગાડીઓ બેફામ દોડી રહી છે તથા એને લીધે પ્રજાના નાણાંનો બરબાદ થાય છે માટે આ સ્ટિકર લગાડવામાં આવ્યા હતાં. જો કે, ત્યારબાદ મામલો વધારે ગરમાયો હતો તેમજ એક તબક્કે સ્ટિકર ન ઉખેડે તો FIR કરવાની વાત આવતાં જનતા ગેરેજનાં સભ્યો જાતે જ સ્ટિકર ઉખેડી નાંખવા માટે મજબૂર બન્યા હતાં.

સ્ટીકર માર્યા હતા, ખાત્રી આપતા ઉખેડી નાખ્યાં :
મનપાની ગાડીઓનો બેફામ ઉપયોગ થઇ રહેલો છે. ખાસ કરીને તો પ્રાઇવેટ કાર્યક્રમમાં તથા અધિકારીઓના પરિવાર માટે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટિકર મારવાથી કોઇપણ નાગરિકના ધ્યાનમાં આવે કે આ ગાડી ખોટી રીતે ફરી રહી છે તો કમિશ્નર, CM તથા PM સુધી રજૂઆત કરી શકે તેની માટે સ્ટિકર મારવામાં આવ્યાં હતા. ત્યારબાદ યોગ્ય કરવાની ખાત્રી આપતા સ્ટિકર ઉખેડી નાંખવામાં આવ્યાં છે.

સ્ટિકર લગાવવાની પ્રવૃત્તિ ચલાવી ન લેવાય :
કોઇપણ ફરિયાદ હોય તો અમને લેખીતમાં જાણ કરે અમે પગલાં લઈશું પણ આ રીતે સરકારી મિલકતમાં સ્ટિકર મારવાની પ્રવૃત્તિ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહી. અમે કાર્યવાહી ન કરીએ તો અમારી વિરુદ્ધ પણ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી શકાય. બાકી મનપામાં ગેરશિસ્ત કોઇ કાળે ચલાવી લેવામાં આવશે નહી. આવું કમિશ્નર તુષાર સુમેરાએ જણાવતાં કહ્યું હતું.

આ પગલું ભરી ખોટી ઉતાવળ કરી છે :
મેયર ધીરૂભાઇ ગોહેલ જણાવતાં કહે છે કે, પ્રજાના પૈસે ગાડીઓ ફરે છે એની અમને પણ ખબર છે. કયાંય ગેર ઉપયોગ થતો હોય તો લેખીતમાં આધાર, પુરાવા સાથે રજૂઆત કરવામાં આવે. આ પ્રોપર વેની જગ્યાએ જનતા ગેરેજે ખોટી ઉતાવળ કરીને ખોટું પગલું ભર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *