ભત્રીજાએ તેના કાકાની હત્યાનો બદલો લેવા માટે ગામના આધેડ પર ચડાવી દીધી કાર -જાણો રુવાડા ઉભા કરી દેતી ઘટના

સુરેન્દ્રનગર(ગજરાત): હાલમાં રાજ્યમાંથી હત્યાની એક ચકચારી ઘટના બનવા પામી છે જેમાં ચુડા તાલુકાના કોરડા ગામના કાઠી દરબારનું ગામના જ શખસે મંગળવારે સવારે 10 વાગ્યે કાર…

સુરેન્દ્રનગર(ગજરાત): હાલમાં રાજ્યમાંથી હત્યાની એક ચકચારી ઘટના બનવા પામી છે જેમાં ચુડા તાલુકાના કોરડા ગામના કાઠી દરબારનું ગામના જ શખસે મંગળવારે સવારે 10 વાગ્યે કાર ભટકાડી મોત નીપજાવ્યું હતું. જાણવા મળ્યું છે કે, અકસ્માત સર્જી કાઠી દરબારને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીના કાકાની વર્ષ-2016માં હત્યા થઈ હતી. જે વાતનો બદલો આરોપીએ લીધો હોવાની હકીકત સામે આવી છે. ચુડા તાલુકાના કોરડા ગામના રણુભાઈ મેરૂભાઈ ખાચર ભાણેજડા ગામના જૂના માર્ગે આવેલી વાડીએ જઈ રહ્યા હતા. તેમના ભત્રીજા શિવરાજભાઈ ખાચર ચૂડા પણ જવા માટે રોડ પર ઊભા હતા.

આ દરમિયાન, અજિત કલાભાઈ અણીયાળિયા કાર લઈને તેમની નજીક આવીને ઊભો રહ્યો હતો. અજીતે શિવરાજભાઈને કહ્યું કે, તમે કાઠીઓએ 5 વર્ષ પહેલાં મારા કાકાનું ખૂન કર્યું હતું. તેનું પરિણામ અત્યારે શું આવે છે તે તમને થોડીવારમાં ખબર પડશે. તેમ કહી અજીત ભાણેજડા જવાનાં માર્ગે કાર લઈને જતો રહ્યો હતો. 15 મિનિટ બાદ રણુભાઈ ખાચર લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હોવાના સમાચાર મળતાં શિવરાજભાઈ તેમના ભાઈને લઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી ગયા હતા.

માથાના ભાગે ગંભીર રીતે ઘાયલ રણુભાઈએ શિવરાજભાઈને જણાવ્યું હતું કે, તેમને પાછળથી કોઈ કારે જોરદાર ટક્કર મારી હતી અને માથાના ભાગે કારનું ટાયર ચડાવી દીધું હતું. ત્યારબાદ ઘાયલ રણુભાઈને સારવાર અર્થે સુદામડા અને ત્યારબાદ સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર હોસ્પિટલના હાજર ડૉક્ટર દ્વારા રણુભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, 5 વર્ષ પહેલા કોરડા ગામે છડેચોક મનસુખભાઈ અણીયાળિયાની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી જ કોળી અને કાઠી દરબારો વચ્ચે દુશ્મનીના બીજ રોપાયા હતા. છેલ્લાં 5 વર્ષમાં અનેક વખત બન્ને સમાજના લોકો એકબીજા સામે મારામારી, ફાયરિંગ સહિતની પોલીસ ફરિયાદો થઇ ચુકી છે.

જાન્યુઆરી 2016માં દૂધ ભરવા જેવી બાબતે અજીત કલાભાઈ અણીયાળિયાના કાકા મનસુખભાઈ કડવાભાઈ અણીયાળિયાનું કાઠી દરબારો દ્વારા ફરસી, તલવાર, પિસ્તોલ સહિતના હથિયારો વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. 5 વર્ષથી બન્ને સમાજ વચ્ચે મોકા મળતા અવારનવાર એકબીજા ઉપર હુમલો અને પોલીસ ફરિયાદો કરવામાં આવી રહી છે. “ખૂન કા બદલા ખૂન” જેવો બનાવ બનતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કોઈ અઘટિત બનાવ ન બને તે માટે ડીવાયએસપી સી.પી.મુંધવા, એલસીબી પીઆઈ ડી.એમ.ઠોલ દ્વારા કોરડા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *