બીમાર દિયરનો ઈલાજ કરવા માટે તાંત્રિકે ભાભીને સુવડાવ્યા જમીન ઉપર, અને પછી….

ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર માનવતાને શરમાવે એવો મામલો સામે આવ્યો છે. તમને જણાવી દઇએ કે,અંધશ્રદ્ધા અને તંત્ર મંત્રનો આ મામલો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના નારખી ગામનો…

ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર માનવતાને શરમાવે એવો મામલો સામે આવ્યો છે. તમને જણાવી દઇએ કે,અંધશ્રદ્ધા અને તંત્ર મંત્રનો આ મામલો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના નારખી ગામનો છે. જ્યાં કેટલાક લોકો અંધશ્રધ્ધામાં તેમના ઘરનો દીવો બચાવવા આવ્યા અને તેમના ઘરની યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું.

આ આખી બાબત તે જ વિસ્તારના 1 નાગલા રાજકુંવરમાં રહેતી હરિવિલાશની રાજકુમારી સાથે સંબંધિત છે. ખરેખર, છેલ્લા કેટલાક દિવસોથી રાજકુમારીના દિયરની તબિયત ખૂબ ખરાબ હતી. તેના ઇલાજ માટે પરિવારના સભ્યોએ બાબાને બોલાવ્યા.

રાજકુમારી અનુસાર,બાબાએ નિર્ધારિત સમયે પૂજા શરૂ કરી. થોડા સમય માટે બધું સારું રહ્યું. પરંતુ થોડા સમય પછી, બાબાએ રાજકુમારીને દેવરની આ સ્થિતિ માટે જવાબદાર કહ્યું કે,તેની સારવાર કરવી પડશે. જેના પર રાજકુમારીના સાસરિયાઓએ કોઈ વાંધો ઉઠાવ્યો નહીં અને બાબાને રાજકુમારીને પીડિત કરવાની મંજૂરી આપી.

રાજકુમારીએ જણાવ્યું કે,બાબાએ તેને તેના પરિવારની સામે જમીન પર પછાડી અને એક જહેરીલો વાયુ પણ છોડીયો.માત્ર એટલું જ નહીં,તે ઉપરાંત તેને કાપડ ના બનેલા ચાબુક દ્વારા મારવામાં આવી હતી. અને તેના હાથ ઉપર ગરમ ચિપીયો મૂક્યો. જ્યારે તે રાડો પાડવા લાગી તે સમયે તેના પરિવારના સભ્યો મદદે આવ્યા ન હતા. પરંતુ બાજુના ઘરમાં રહેતા અન્ય વ્યક્તિઓ તેની મદદ માટે દોડી આવ્યા હતા. અને ત્યાર પછી તે લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *