સ્તનપાન દરમિયાન માતાની એક ભૂલના કારણે ત્રણ દિવસના બાળકને ગુમાવવો પડ્યો જીવ- જાણો કેવી રીતે થયું માસૂમનું મોત

હાલ રાજકોટમાંથી એક એવી કરુણ ઘટના સામે આવી છે જેમાં રાજકોટ શહેરના રૈયાધાર ઈન્દીરાનગરમાં રહેતા શ્રામિક પરિવારને ત્યાં 3 દિવસ પહેલા જન્મેલા પુત્રને સ્તનપાન કરાવતી…

હાલ રાજકોટમાંથી એક એવી કરુણ ઘટના સામે આવી છે જેમાં રાજકોટ શહેરના રૈયાધાર ઈન્દીરાનગરમાં રહેતા શ્રામિક પરિવારને ત્યાં 3 દિવસ પહેલા જન્મેલા પુત્રને સ્તનપાન કરાવતી વખતે માતાને ઊંઘ આવી જતા બાળક માતા નીચે દબાઈ ગયું હતું અને શ્વાસ રૂંધાઇ જતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યું છે કે, શહેરના રૈયાધાર ઇન્દીરાનગરમાં રહેતા સંજયભાઈ બચુભાઈ મકવાણા મજુરીકામ કરે છે. આ શ્રામિક પરિવારને ત્યાં ત્રણ સંતાનો ઉપર ત્રણ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હતો. પુત્રના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો પરંતુ આ ખુશી પળવારમાં જ છીનવાઇ ગઇ હતી.

મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે માતા નવજાત બાળકને સ્તનપાન કરાવતી હતી ત્યારે માતાને ઊંઘ આવી આવી ગઈ અને પડખું ફરતા બાળક તેની નીચે દબાઈ ગયું હતું અને બાળકનો શ્વાસ રૂંધાઇ ગયો હતો. સાંજે પુત્ર ઉઠ્યો નહી જેથી પરિવારજનો ચિંતામાં મૂકી ગયા હતા.

ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે ટુકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ યુનીવર્સીટી પોલીસ દ્વારા આ અંગે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *