ચૂંટણી પ્રચાર કરીને ઘરે જઈ રહેલા ભાજપના ચાર નેતાઓના માર્ગ અકસ્માતમાં મોત

આજકાલ અકસ્માતના કેસોમાં દિવસે ને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો આડેધડ વાહનો ચલાવે છે જેથી અકસ્માત સર્જાતા હોય છે. મોટા ભાગના અકસ્માત…

આજકાલ અકસ્માતના કેસોમાં દિવસે ને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો આડેધડ વાહનો ચલાવે છે જેથી અકસ્માત સર્જાતા હોય છે. મોટા ભાગના અકસ્માત હાઈવે પર સર્જાતા હોય છે. આ દરમિયાન ફરી એક અકસ્માતનો કેસ સામે આવ્યો છે જેમાં 3 મહિલાઓ સહીત 4 ભાજપના નેતાઓનું મૃત્યુ થયું છે.

જાણવા મળ્યું છે કે, અચાનક કંટ્રોલ ખોવાઈ જવાથી વાહન પલટી ગયું હતું. આ વાહન પલટી જતા ત્રણ મહિલાઓ સહિત ભાજપના ચાર નેતાઓ માર્યા ગયા હતા અને અન્ય આઠ પણ ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ત્રણ મહિલાઓ અને એક પુરુષ ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકરો સાથે ટ્રકમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, આ દરેક ભાજપના કાર્યકરો ચૂંટણી સંદર્ભે આયોજીત એક જાહેર રેલીમાં સામેલ થયા બાદ તેના ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન ટ્રક પલટી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભાજપના નેતાઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતક ઉર્વશી કન્યા જમાટીયા (45), મમતા રાણી જમાટિયા (26), રચના દેવી જમાટીયા (30) અને ગહિનકુમાર જામતીયા (65) અને અન્ય માટે મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ અને ભાજપના પ્રદેશ પ્રમુખ માણિક સાહા દ્વારા આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *