બેફામ ટ્રક ચાલકે રોડ કિનારે સુતેલા 14 મજુરોને કચડ્યા, 3ના ઘટના સ્થળે જ મોત, 11 ઘાયલ 

હરિયાણા (Haryana): બહાદુરગઢ(Bahadurgarh) શહેરમાં કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે(Kundli-Manesar-Palwal Expressway) પર ગુરુવારે સવારે એક ટ્રકે(Truck) 18 મજૂરો (Laborers)ને કચડી નાખ્યા. અકસ્માતમાં 3 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા…

હરિયાણા (Haryana): બહાદુરગઢ(Bahadurgarh) શહેરમાં કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે(Kundli-Manesar-Palwal Expressway) પર ગુરુવારે સવારે એક ટ્રકે(Truck) 18 મજૂરો (Laborers)ને કચડી નાખ્યા. અકસ્માતમાં 3 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 11 ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી 5 લોકોને બહાદુરગઢ ટ્રોમા સેન્ટર અને 10 લોકોને રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રક પણ પલટી ગયો હતો. મૃતકોની ઓળખ સુશીલ, કાંતિ અને મોનુ તરીકે થઈ છે, જેઓ ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત જિલ્લાના રસુલાબાદ પોલીસ સ્ટેશનના રેવાડી ઈટાલી ગામના રહેવાસી છે.

મળતી માહિતી મુજબ, KMP ખાતે આસોડા ટોલની આસપાસ રોડ રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. મોડી રાત સુધી રિપેરિંગની કામગીરી કર્યા બાદ તમામ 18 મજૂરો થાકી જતાં રસ્તાની બાજુમાં સૂઈ ગયા હતા. સવારે એક ઝડપી ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. જે બાદ ટ્રક સ્થળ પર પલટી મારી ગયો હતો.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાંથી 10ને રોહતક પીજીઆઈમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે 5 ઈજાગ્રસ્તોને બહાદુરગઢના ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. માહિતી બાદ એસપી વસીમ અકરમ અને એએસપી અમિત યશવર્ધન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ASPએ જણાવ્યું કે આ ઘટના સવારે 5.30 થી 6ની વચ્ચે બની હતી. ઝડપથી આવતા ટ્રકે રસ્તા પર સૂતેલા મજૂરોને કચડી નાખ્યા હતા. દુર્ઘટના સમયે કેટલાક કામદારો જાગી ગયા હતા, જેમણે પણ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપી છે.

તમામ મજૂરો ઉત્તર પ્રદેશના રહેવાસી છે:
દુર્ઘટનામાં ઘાયલ થયેલા અનીસ અને રજનીશે જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત તમામ મજૂરો KMP પર પુલના સમારકામમાં કામ કરતા હતા. મોડી સાંજ સુધી કામ કર્યા બાદ થાકેલા મજૂરો રસ્તાના કિનારે સૂઈ ગયા હતા. સુતા પહેલા રોડની એક તરફ બેરિકેડીંગ પણ કરવામાં આવ્યું હતું. રિફ્લેક્ટર પણ લગાવવામાં આવ્યા હતા. સુરક્ષા માટે પાણીના ટેન્કર અને જેનસેટ પણ ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ તેજ સ્પીડ, ભૂલ અને બેદરકારીથી ટ્રક ચલાવતા આવેલા એક વ્યક્તિએ સૂતેલા મજૂરોને કચડી નાખ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકો ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છે અને બે મહિનાથી KMPમાં કામ કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *