દ્વારકાધિશની ધ્વજા ચડાવવા આવેલા ભક્તોની મહેરામણમાં ઘુસ્યા આખલા, કેટલાયને કચડ્યા… જુઓ વિડીયો

Published on Trishul News at 3:50 PM, Mon, 25 July 2022

Last modified on July 25th, 2022 at 3:50 PM

અવાર નવાર રખડતા ઢોરો (cattle)નો આંતક સામે આવતો જ રહે છે. જેને લીધે કેટલાક લોકોના જીવ પણ જતા જોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકા (Dwarka)માં સામે આવી છે. દ્વારકાના જગતમંદિર નજીક બે આખલાના યુદ્ધે ભારે કરી હતી. દ્વારકાધિશની ધ્વજા ચડાવવા આવેલા ભક્તોના મહેરામણમાં રખડતા આખલાઓએ ઘુસી જતાં દોડધામ મચી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

દ્વારકામાં હાલ ધજા ચડાવવાનો પ્રસંગ ચાલતો હોય છે. જેના કારણે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. ત્યારે રઝળતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જવાથી સ્થાનિકોની સાથે બહારગામથી પધારતા શ્રદ્ધાળુઓ પણ તેમની હડફેટે ચડે છે. રસ્તે રઝળતા રેઢીયાળ પશુઓનો ત્રાસ કેવો છે તેનું વધુ એક દ્રશ્ય કેમેરામાં કેદ થયું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઇ રહ્યો છે.

માર્ગમાં આખલા આવી જતાં લોકોના જીવ અદ્ધર થયા:
દ્વારકામાં જગતમંદિરના શિખર ઉપર ધ્વજા ચડાવવાના પ્રસંગ સમયે રબારી સમાજ પણ ધજા ચડાવવા ગયા હતા. આ દરમિયાન અચાનક બે આખલા લડતા લડતા માર્ગમાં આવી જતાં હાજર લોકોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. જેના પગલે ભક્તોના રંગમાં ભંગ પડ્યો હતો. જો કે સદનસીબે કોઇને ઈજા થવા પામી નહોતી.

લોકોને સહકાર આપવા અપીલ – ચીફ ઓફિસર:
સમગ્ર ઘટનાને પગલે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવા લોક માંગ ઉભી થવા પામી છે. આ અંગે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે દ્વારકામાં દિન પ્રતિદિન રેઢીયાળ ઢોરનો આતંક વધતો જોતા અને લોકોની અપીલને ધ્યાને લેતા આવા તમામ રેઢિયાળ ઢોરોને પકડી યોગ્ય જગ્યાએ રાખવામાં આવશે, જેથી લોકોને તકલીફ ન પડે. ઉપરાંત લોકોને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "દ્વારકાધિશની ધ્વજા ચડાવવા આવેલા ભક્તોની મહેરામણમાં ઘુસ્યા આખલા, કેટલાયને કચડ્યા… જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*