સુરતમાં એક જ દિવસમાં બે હત્યા: ગુનેગારોમાં નથી રહ્યો પોલીસનો ડર

સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત ચાલુ રહ્યો છે. એક જ દિવસમાં બે હત્યાના કેસ નોંધાયા છે. સુરતના સંજય નગર ખાતે ખૂની ખેલ ખેલાયો છે. જોકે…

સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત ચાલુ રહ્યો છે. એક જ દિવસમાં બે હત્યાના કેસ નોંધાયા છે. સુરતના સંજય નગર ખાતે ખૂની ખેલ ખેલાયો છે.

જોકે આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે હજુ સામે આવી રહ્યું નથી. આ હત્યા કોના દ્વારા કરવામાં આવી છે તેની હજુ જાણ થઇ શકી નથી. સુરતમાં બે દિવસમાં ત્રણ હત્યાના બનાવો સામે આવ્યા છે.

પ્રદીપ પટેલ ઉર્ફે દાદા પાટીલ નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. સુરત પોલીસની કામગીરી સામે તેમજ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. સુરત શહેરના વિસ્તારોમાં ગુનેગારોને કોઈનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ અગાઉ ડિંડોલી ભેસ્તાન-મુંબઈ રેલવે ટ્રેક ઉપર જરીના કારીગરને મારીને ફેંકી દેનાર કોન્ટ્રાકટર સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એડવાન્સ રૂપિયાને લઈ થયેલા ઝઘડા બાદ કોન્ટ્રાકટરે કારીગરની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ ગૂમ દીકરાને શોધતા પિતા સાથે આખો દિવસ રહેનાર કોન્ટ્રાક્ટરે રીક્ષા ચાલકને હત્યા કરી રેલવે ટ્રેક પર ફેંકી દીધો હોવાની કબૂલાત કર્યા બાદ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *