આગથી “અસલામત એસટી” નું બસ ટર્મિનસ ફાયર વિભાગે કર્યું સીલ- સરકારી નિગમના જ ધાંધિયા

Published on Trishul News at 4:13 PM, Tue, 10 September 2019

Last modified on September 10th, 2019 at 4:13 PM

ગુજરાત એસટી નિગમ નું સુત્ર છે કે ‘સલામત સવારી, એસટી અમારી’ પરંતુ સુરતમાં આવેલ ઉધના બસ ટર્મિનલ ની ઈમારતમાં જ આગથી બચવા માટે સલામતીના પૂરતા સાધનો ણ હોવાથી મિલકત સીલ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાના ફાયરવિભાગ દ્વારા ઉધના બસ સ્ટેશનના ટર્મિનસને સીલ કરવામાં આવ્યું હતું. અપૂરતી ફાયર સુવિધાના કારણે મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

તક્ષશિલાની આગની ઘટના બાદ ફાયર વિભાગ દોડતું થયું છે અને ફાયર સેફટી વિનાની મિલકતો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈને ફરી ધોકો પછાડવામાં આવ્યો છે. ખાનગી ઈમારતોને સીલ કર્યા બાદ પાલિકાના ફાયરવિભાગ દ્વારા ઉધના બસ સ્ટેશનના ટર્મિનસને સીલ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત બસ ડેપોના કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. જેથી ફાયરબ્રિગેડ દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગની દુકાનોને સીલ કરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોમ્પ્લેક્ષમાં કુલ ૧૫૦ જેટલી દુકાનો આવેલી છે અને કોમ્પ્લેક્ષ સીલ થઇ જતા દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "આગથી “અસલામત એસટી” નું બસ ટર્મિનસ ફાયર વિભાગે કર્યું સીલ- સરકારી નિગમના જ ધાંધિયા"

Leave a comment

Your email address will not be published.


*