રસોઈમાં ઉપયોગમાં લેવાતી આ એક ચીજનો કરો ઉપયોગ, ચપટીમાં ઓગળશે પેટની ચરબી

સિંધવ મીઠામા રહેલા ખનીજ એન્ટી બેક્ટેરિયલ નું કામ કરે છે. આ કારણે શરીરમાં રહેલા ખતરનાક બેક્ટેરિયા ખતમ થાય છે અને વજન તથા ચરબી ઘટાડવામાં મદદ…

સિંધવ મીઠામા રહેલા ખનીજ એન્ટી બેક્ટેરિયલ નું કામ કરે છે. આ કારણે શરીરમાં રહેલા ખતરનાક બેક્ટેરિયા ખતમ થાય છે અને વજન તથા ચરબી ઘટાડવામાં મદદ મળે છે. જો તમે પણ તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો આ તમારા માટે ખાસ ઉપાય છે. અમે તમને આજે સિંધવ મીઠાના ફાયદા જણાવીશું. તેને આયુર્વેદમાં પણ ખાસ માનવામાં આવ્યું છે. ભોજનને ટેસ્ટી બનાવવાથી લઈને શરીરને સ્વસ્થ રાખવા માટેના ખાસ ઉપાયો છે.

સિંઘવ મીઠા ની મદદથી ચરબી ઓગળી શકો છો.સિંધવ મીઠા માં રહેલા ખનિજ એન્ટી બેક્ટેરિયલ નું કામ કરે છે. તેનાથી શરીરમાં રહેલા ખતરનાક બેક્ટેરિયા ખતમ થાય છે અને આ સિવાય તે પાચન ને દુરસ્ત કરીને શરીરને કોશિકાઓને પોષણ આપે છે.તેનાથી વજન ને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

આ રીતે કરો ઉપયોગ
નિષ્ણાતોનું કહેવું છે કે, ભોજનમાં સોડિયમનું વધારે હોવું એ શરીરમાં બિનજરૂરી પાણીના પ્રમાણને વધારે છે. કાળા મીઠા માં એટલે કે સિંધવ મીઠામાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે. તેના સિવાય તે અનેક ગુણોથી ભરપૂર હોવાથી બિનજરૂરી પાણીને ઘટાડે છે. જમ્યા બાદ પેટ ભારે લાગે તો ગરમ પાણીમાં સિંધવ મીઠું નાખીને ચાની જેમ પીવાથી ભોજન સરળતાથી પચે છે અને બોડીની એક્સ્ટ્રા ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.

સિંધવ મીઠાના ફાયદા

સિંધવ મીઠું આયુર્વેદમાં કૂલિંગ સોલ્ટ માનવામાં આવે છે. તેને પેટમાં થનારી મુશ્કેલીમાં તરત અસર કરનારી દવા માનવામાં આવે છે.

આ કબજિયાત, પેટ ની ખરાબી, પેટ ફૂલવું,હિસ્ટીરિયાની સાથે સાથે આંખ માટે ફાયદો કરે છે.

સિંધવ મીઠું રોજ સવારે ગરમ પાણી સાથે મિક્સ કરીને પીવાથી શરીરને ફાયદો રહે છે.

જો તમે કફની સમસ્યાથી પરેશાન છો તો સિંધવ મીઠાનો ટુકડો મોઢામાં રાખો અને તેનો રસ ગળામાં જવા દો.આવું કર્યા બાદ 2 કલાક સુધી કંઈ ખાઓ નહિ અને પીઓ પણ નહિ.તમને કફ માં જરૂર આરામ મળશે.

તમને સાંધાનો દુખાવો રહે છે તો તમે શક્ય તેટલું સિંધવ મીઠું ઉપયોગમાં લો.તેનાથી તમારા સાંધાના દર્દમાં પણ તમને રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *