કળિયુગી પુત્રે કુહાડીનાં ઘા ઝીંકી માતાને મોતને ઘાટ ઉતારી- આખી ઘટના જાણી હર્દય કંપી ઉઠશે

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. એવામાં ઘણી એવી ઘટનાઓ સામે આવી રહી છે , કે જેનાથી આપણું હ્રદય ધ્રુજી ઊઠે છે. ત્યારે આવી જ…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. એવામાં ઘણી એવી ઘટનાઓ સામે આવી રહી છે , કે જેનાથી આપણું હ્રદય ધ્રુજી ઊઠે છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ક્રોધમાં આવી એક પુત્રએ પોતાની જ માતાની હત્યા કરી નાખી છે.

વલસાડમાં કળિયુગી પુત્રની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સાવ નજીવી બાબતને લીધે જ પુત્રએ કુહાડીના ઘા ઝીંકીને પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એક માતા ઘણાં દુઃખનો સામનો કરીને પુત્રનો ઉછેર કરતી હોય છે, પરંતુ કળિયુગી પુત્રએ ક્રોધમાં આવીને પોતાને જન્મ આપનાર જનેતાની જ કરુણ હત્યા કરી દીધી હતી. પોલીસે કળિયુગી પુત્રની ધરપકડ કર્યાં બાદ આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

વલસાડમાં આવેલ કપરાડાના વરવઠ ગામની આ ઘટના છે. યુવકની પત્ની પિયર જતી રહેતાં જ તેની માતાએ ઠપકો આપતાં જણાવ્યું હતું કે, તારી ઘરવાળી ગાંડી છે, એટલાં જ માટે તે પિયર જતી રહી છે. ઘરમાં કોણ કામ કરીને તને ખવડાવશે. માતાનો આવો ઠપકો સાંભળીને જ યુવકે પિત્તો ગુમાવ્યો હતો, તથા ક્રોધમાં આવીને પાસે પડેલ કુહાડી વડેથી જ માતા પર તૂટી પડ્યો હતો.

ક્રોધમાં આવેલ પુત્રને માતાની મમતા જરા પણ યાદ આવી ન હતી, તથા તેણે કુહાડીના જ ઘા ઝીંકીને માતાને લોહીનાં ખાબોચિયામાં ખડકી દીધી હતી. પોલીસે આ બાબતે હત્યારા પુત્રની ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ પણ ધકેલી દઈને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે, પરંતુ કળિયુગી પુત્રની આ ઘટનાએ આખાં પંથકમાં હોબાળો મચાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *