વીરપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ સગા ભાઇઓ ડૂબ્યા, ત્રણેયના મોતથી પરિવારમાં માતમ

પાલીતાણાના વીરપુર ગામે તળાવમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા. આ ત્રણેય બાળકો ડૂબી જતા ગ્રામજનોબચાવવા માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા…

પાલીતાણાના વીરપુર ગામે તળાવમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા. આ ત્રણેય બાળકો ડૂબી જતા ગ્રામજનોબચાવવા માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા હતા. પરંતુ ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ત્રણેય બાળકો સગા ભાઇઓ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે ડેપ્યુટી કલેક્ટર કે.કે. સોલંકી, ઇન્ચાર્જ પીઆઇ ચુડાસમા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.

એક પછી એક એમ ત્રણેય ભાઇઓ પાણીમાં ગરક થયા હતા

પ્રાપ્ત વિગત મુજબ વીરપુર ગામમાં રહેતા સુખાભાઇ ચૌહાણના આશરે 5થી 10 વર્ષના ત્રણ પુત્રો ન્હાવા માટે તળાવમાં પડ્યા હતા. એક પછી એક એમ ત્રણેય સગા ભાઇઓ ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોએ ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા અને પોલીસે પીએમ માટે ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યા હતા. દિવાળી ટાણે જ ત્રણ ત્રણ પુત્રોના મોતથી પરિવાર પર આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *