પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાન ‘દાદા’ એ કોરોનાને તો હરાવ્યો પરંતુ શરીરના અંગો ડેમેજ થતા નિધન- ઓમ શાંતિ

વિરમગામ(ગુજરાત): તાજેતરમાં એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત(Gujarat)માં કડવા પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાન અને ઊંઝા ઉમિયા માતાજી(Unza Umiya Mataji) સંસ્થાનના ઉપપ્રમુખ વાસુદેવભાઈ પટેલ(Vasudevbhai Patel)નું…

વિરમગામ(ગુજરાત): તાજેતરમાં એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત(Gujarat)માં કડવા પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાન અને ઊંઝા ઉમિયા માતાજી(Unza Umiya Mataji) સંસ્થાનના ઉપપ્રમુખ વાસુદેવભાઈ પટેલ(Vasudevbhai Patel)નું નિધન થયું છે. ઝાલાવાડી સમાજના અગ્રણી વાસુદેવભાઈ પટેલે 80 વર્ષની વયે કોરોનાને મહાત આપી હતી પણ ઈન્ટર ઓર્ગન ડેમેજ હોવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. વાસુદેવભાઈ પટેલનું હોસ્પિટલ(Hospital)માં સારવાર દરમિયાન સોમવારે સવારે અવસાન થતાં પાટીદાર સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, વાસુ દાદા તરીકે જાણીતા વાસુદેવભાઈ પટેલની કડવા પાટીદારોની આસ્થાના કેન્દ્ર ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના ઉપપ્રમુખ તરીકે એક માસ અગાઉ જ નિમણૂંક કરવામાં આવી હતી. આ ઉપરાંત, અમદાવાદમાં સોલા ખાતે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નિર્માણાધીન ઉમિયાધામના નિર્માણ કાર્યમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું.

કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં 20 દિવસ વાસુદેવભાઈ પટેલ અગાઉ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. જણાવી દઈએ કે, તેમની અમદાવાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પાંચ દિવસ પહેલા તે સાજા થઈ ગયા હતા પણ 80 વર્ષની ઉંમરે કોરોનાને હંફાવનાર વાસુદેવભાઈ પટેલ સોમવારે સવારે ઈન્ટર ઓર્ગન ડેમેજના કારણે મોત સામે હારી ગયા હતા.

વિરમગામ તાલુકાના દેવપુરા ગામના વતની વાસુદેવભાઈ લવજીભાઈ પટેલે અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. સબમર્સિબલ પંપના વ્યવસાયથી શરૂઆત કર્યા બાદ રીયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયા હતા. છેલ્લા 20 વર્ષથી બિઝનેસ છોડીને પોતે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાઈ ઝાલાવાડી કડવા પાટીદાર સમાજ તેમજ સ્વામિનારાયણ સંસ્થામાં સેવાકાર્યો કરી રહ્યા હતા.

આ ઉપરાંત, ખાખરિયા ઝાલાવાડી કડવા પાટીદાર સમાજ કેળવણી મંડળ અમદાવાદની સ્થાપના કર્યા બાદ કડીમાં સમાજ પ્રેરિત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે કામ કર્યું હતું. સામાજિક અને ધાર્મિક કુનેહ સાથે સમાજ ઉત્થાનના કાર્યો થકી પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો અને સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *