VNSGU ને મળ્યા કાર્યક્ષમ કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા

Published on Trishul News at 9:35 PM, Fri, 30 April 2021

Last modified on April 30th, 2021 at 10:11 PM

દક્ષિણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ માટે કુલપતિ તરીકે પ્રોફેસર ડો કિશોરસિંહ એન ચાવડા ની નિયુક્તિ કરવામાં આવી છે.પ્રોફેસર ડો. કિશોરસિંહ ચાવડા હાલમાં અમરોલી ખાતે આવેલી સર જે.ઝેડ શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને હવે તેમની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ તરીકે તેમની નિમણૂંક કરાતા વિદ્યાર્થી અને શિક્ષણ જગતમાં ખુશીની લાગણી છવાઇ છે.

અત્રે નોંધનીય છે કે ડો. કિશોરસિંહ એન ચાવડા ના નેતૃત્વમાં અમરોલી કોલેજ ને અનેક સિદ્ધિઓ ઉપલબ્ધ થઈ હતી. એટલું જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતની તમામ કોલેજોમાં સર જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શૈક્ષણિક બાબત માં સદૈવ અગ્રેસર રહી છે જે ડો. કિશોરસિંહ એન ચાવડાની શિક્ષણ પ્રત્યેની સમર્પિતતા નું પરિણામ છે.

ડો. ચાવડા હાલમાં 14 જેટલા વિવિધ હોદ્દા ઉપર કાર્યરત છે. 2005થી તેઓ અમરોલી કોલેજમાં  પોતાની ફરજ નિભાવી રહ્યા હતા.તેમણે એમ.કોમ., બી.એડ., એમ ફીલ. પી.એચ.ડી.ની ડીગ્રી મેળવેલ છે.ડો. ચાવડા ને ઓલ ઇન્ડિયા એચિવીયર્સ ફાઉન્ડેશન દિલ્હી દ્વારા 2012 માં શિક્ષા ભારતી પુરસ્કાર એનાયત કરાયો હતો. ડો.ચાવડા અનેક શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જોકે શરૂઆતથી જ સ્વભાવે ખૂબ જ વિનમ્ર અને વિદ્વાન હોઇ વિદ્યાર્થીઓમાં તેઓ ખૂબ જ લોકપ્રિય રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

About the Author

Vandankumar Bhadani
Vandankumar Bhadani- Journalist and Bachelors of computer application is the founder of Trishul News. Trishul News called as trishulnews.com was established in the year 2017 to create awareness among the people through rumours and fake news. At present, Trishul News has more than 9 million readers per month in 60 countries of the world including Gujarat and India. talk about social presence in Facebook, there are more than five lakh followers on the Facebook page.

Be the first to comment on "VNSGU ને મળ્યા કાર્યક્ષમ કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા"

Leave a comment

Your email address will not be published.


*