રાજીવ દિક્ષિત: પાણી હંમેશા આ રીતે જ પીવું જોઈએ- ફાયદા સ્વરૂપે આખી જિંદગી કોઈ રોગ નહિ આવે

ઉભા રહીને અથવા તો ઝડપથી પાણી પીવાથી બે ગંભીર પ્રકારના રોગો આપણા શરીરમાં પ્રવેશી શકે છે. જેમાંનું પહેલું એટલે કે, હાર્નિયા અને બીજું એટલે કે,…

ઉભા રહીને અથવા તો ઝડપથી પાણી પીવાથી બે ગંભીર પ્રકારના રોગો આપણા શરીરમાં પ્રવેશી શકે છે. જેમાંનું પહેલું એટલે કે, હાર્નિયા અને બીજું એટલે કે, એપેન્ડિક્સ. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વધુ એક બીમારી થઇ શકે છે જેવી કે, હાઈડ્રોસીલ.

પાણી હંમેશા પોતપોતાના વજન કરતા દસમાં ભાગનું પીવું જોઈએ. પાણી હંમેશા બે કલાક નો સમય ગાળો રાખીને પીવું જોઈએ. સામાન્ય રીતે ચાર થી પાંચ લીટર પાણી દિવસ દરમિયાન પીવું જોઈએ.

એક સાથે પીધેલું સૌથી વધુ પડતું પાણી કિડનીમાં દબાણ વધારે છે. કારણ કે, શરીરમાં પાણી નું કામ શરીરમાં આવેલી બે કિડનીઓ કરે છે.આ પ્રકારે પાણી પીવાથી શરીરમાં કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી. આવું અમેરિકાના વૈજ્ઞાનિકોએ શોધખોળ કરી હતી.જાપાનની સરકારે પોતાની ચિકિત્સા પદ્ધતિમાં પણ પાણી જમીન પર બેસીને પીવું જોઈએ તેનો ઉલ્લેખ કર્યો છે.

નાભિ સમગ્ર શરીરનું કેન્દ્ર છે. બેસવાની સ્થિતીમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નાભિ ઉપર લાગે છે. અને ઉભા થતાં સમયે ગુરુત્વાકર્ષણ બળ નાભિથી દૂર થઈ જાય છે. ગુરુત્વાકર્ષણ બળ નાભી ઉપર પડવાના કારણે પાણી સારી રીતે પચી જાય છે.

શરીરને સારી રીતે કામ કરવા માટે શરીરમાં ઓછામાં ઓછા ઓ 27° અને વધુમાં વધુ 47° અંશ તાપમાન હોવું જોઈએ. સતત ઠંડુ પાણી પીવાથી જઠર ની ક્રિયા મંદ પડી જાય છે. મોટું આતરડું અને નાનું આતરડું સંકોચાઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *