શું તમે પણ રસોડામાં બુટ-ચંપલ પેહેરીને ફરો છો? તો આ લેખ ખાસ વાંચી લેજો નહિતર…

હિન્દુ શાસ્ત્રોમાં ઘરને મંદિરનો સમાન દરજ્જો આપવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે ઘરની અંદર દેવી -દેવતાઓનો વાસ હોય છે. તે જ સમયે, ઘણા…

હિન્દુ શાસ્ત્રોમાં ઘરને મંદિરનો સમાન દરજ્જો આપવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે ઘરની અંદર દેવી -દેવતાઓનો વાસ હોય છે. તે જ સમયે, ઘણા લોકો કહે છે કે બૂટ અને ચંપલ બહાર ઉતારીને અને અંદર જવાથી સૂક્ષ્મજંતુઓ પ્રવેશ કરી શકતા નથી. બીજી બાજુ, વાસ્તુશાસ્ત્ર અનુશાર માનવું છે કે, જો આપણે ઘરમાં બૂટ અને ચંપલ ન પહેરીએ, તો આ નકારાત્મક ઉર્જાને કારણે ઘરની અંદર પ્રવેશ કરી શકતા નથી.

ઘરમાં આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો:
ઘરના ઘણા ભાગોમાં, દૈવી ઉર્જાના નિવાસ માટે બૂટ અને ચંપલ પહેરવા પર અને ધૂમ્રપાન કરવાની સખત મનાઈ રાખવામાં આવે છે આવી પરીસ્થિતિમાં રસોડાને ઘરનો મહત્વનો ભાગ માનવામાં આવે છે કારણ કે ઘરમાં રહેતા લોકો માટે રસોડામાં ભોજન તૈયાર કરવામાં આવે છે.

ભોજન રાંધવા માટે ઘરના રસોડામાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે. આવી સ્થિતિમાં શાસ્ત્રો અનુશાર અગ્નિ અને ખોરાકને પવિત્ર માનવામાં આવે છે. તે માટે બૂટ અને ચંપલ પહેરીને રસોડામાં પ્રવેશવાની સખત મનાઈ કરવામાં આવે છે. તે માટે ધ્યાનમાં રાખો કે ભૂલથી પણ તે જગ્યાએ ચંપલ પહેરીને ન જવું જોયે.

ભંડાર ઘરમાં અન્ન રાખવામાં આવે છે અને અન્નને દેવ સમકક્ષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આપણે કોઈપણ રીતે ખોરાકનું અપમાન કરીએ છીએ, તો તે આપણા જીવન પર ઊંડી અસર કરી શકે છે. તે માટે આપને કોઈ પણ દિવસ અન્નનું અપમાન ન કરવું જોયે.

આ સાથે, બૂટ અને ચંપલ પહેરીને ઘરની તિજોરીમાં જવાની પણ મનાઈ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરની તિજોરીમાં પૈસા રાખવામાં આવે છે, જે દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, જે રીતે રસોડા કે પૂજાના ઘરમાં બૂટ અને ચંપલ પહેરીને જવાની સખત મનાઈ રાખવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *