ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકારને લીધી આડેહાથ- જુઓ મહારાષ્ટ્રથી આવેલા ધારાસભ્યો વિષે શું કહ્યું?

ગુજરાત(GUJARAT): આજરોજ આમ આદમી પાર્ટીના(AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે,  મહારાષ્ટ્રની…

ગુજરાત(GUJARAT): આજરોજ આમ આદમી પાર્ટીના(AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે,  મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. શિવસેના(Shiv Sena)થી નારાજ થઈ એકનાથ શિંદે(Eknath Shinde) સહિત 20થી વધુ ધારાસભ્યો સોમવારની સાંજથી સંપર્ક વિહોણા બન્યા છે.

ગઈકાલ સાંજથી સુરત(Surat)ની હોટલમાં રોકાયા છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શિવસેનાના નારાજ મંત્રી એકનાથ શિંદે સહિત 13 ધારાસભ્યો સુરત આવી પહોંચ્યા હતા. મોડી રાત્રે સુરતમાં અઠવાલાઈન્સ ખાતે આવેલી ફાઈવ સ્ટાર હોટેલ લા મેરીડીયન ખાતે ઉતર્યા છે. શિંદેની સાથે કુલ 24 ધારાસભ્યો હોવાની વાત બહાર આવી છે. જેમાં ચાર કોંકણ ના, અને બે થાણે ના છે.

જૂની TGB અને સુરતમાં અઠવાલાઈન્સ ખાતે આવેલી લા મેરીડીયન ફાઈવ સ્ટાર હોટેલમાં 24 ધારાસભ્યો લાવવામાં આવ્યા છે. તેમને CR પાટીલ દ્વારા ડાઈરેક્ટ કમિશ્નરને ફોન કરીને ટોર્ચર કરવામાં આવ્યા છે. શિવસેનાના ધારાસભ્યો ભાગવાની કોશીસ કરતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૧-૨ ને નવસારીથી પકડી પાડવામાં આવ્યા છે. 1-2 ધારાસભ્યોને ખાનગી રીતે સિવિલ હોસ્પીટલમાં લઇ જઈને ગઈકાલે રાત્રે ઘેનનું ઇન્જેક્શન મારી બેહોશ કરવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા સોમવાર સાંજે જ યોગ દિવસના પોતાના તમામ કાર્યક્રમોને રદ કરી દેવામાં આવ્યા હતા. નારાજ ધારાસભ્યોને લઈને શિવસેનામાં સ્થિતિ વણસવાને કારણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગ્યે ઈમર્જન્સી બેઠક બોલાવી છે.

કયા કયા ધારાસભ્યો થયા સંપર્ક વિહોણા?
મળતી માહિતી અનુસાર, એકનાથ શિંદે – કોપારી, અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ, શંભૂરાજ દેસાઇ – સતારા, સંદિપાન ભૂમરે – પૈઠણ – ઔરંગાબાદ, ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ, ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ, નિતીન દેશમુખ – બાળાપુર – અકોલા, અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી, વિશ્વનાથ ભોઇર – ~લ્યાણ પશ્ચિમ, સંજય ગાયકવાડ – બુલઢાણા, સંજય રામુલકર – મેહકર, મહેશ સિંદે – કોરેગાંવ – સતારા, શહાજી પાટીલ – સાંગોલા – સોલાપૂર, પ્રકાશ અબિટકર – રાધાપુરી – કાોલ્હાપૂર, સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ,  જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ, તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ, સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ અને રમેશ બોરનારે – બૈજાપૂર – ઔરંગાબાદ ધારાસભ્યો સંર્પક વિહોણા થયા છે.

ગોપાલ ઈટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વધુમાં જણાવતા કહ્યું કે, 15 જુનથી આમ આદમી પાર્ટી દ્વારા વીજળી આંદોલન શરુ કરવામાં આવ્યું છે. જે રીતે અરવિંદ કેજરીવાલની સરકાર દિલ્હીમાં 200 યુનિટ જેટલી વીજળી ફ્રીમાં આપી રહી છે અને પંજાબમાં ભગવત માનની સરકાર પહેલી જુલાઈ એટલે કે આવતી પહેલી તારીખથી 300 યુનિટ વીજળી ફ્રી આપવા જઈ રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપની ભ્રષ્ટ સરકાર પણ લોકોને લુંટવાનું બંધ કરે અને લોકોને વીજળી સસ્તી આપે તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે અને લોકોનો પણ ખુબ પ્રતિસાદ મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *