કળયુગ પૂરો થશે ત્યારે માણસ શું કરતો હશે, અને પછી કયો યુગ આવશે? જાણો ચોંકાવનારૂ રહસ્ય

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે, અત્યાર સુધી માં સંસાર માં ત્રણ યુગ નો સમયગાળો વીતી ચૂકયો છે સતયુગ , દ્વાપરયુગ અને ત્રેતાયુગ. આ ત્રણેય…

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે, અત્યાર સુધી માં સંસાર માં ત્રણ યુગ નો સમયગાળો વીતી ચૂકયો છે સતયુગ , દ્વાપરયુગ અને ત્રેતાયુગ. આ ત્રણેય યુગ નો સમયગાળો પૂર્ણ થયા બાદ હાલ જે યુગ વર્તમાન સમય માં ચાલી રહ્યો છે તેને કળિયુગ તરીકે ઓળખવામાં આવે છે.

શાસ્ત્રો માં એવો ઉલ્લેખ કરાયો છે કે જયારે આ કળીયુગ નો અંત થશે ત્યારે તે અત્યંત ભયજનક હશે. હાલ , આપણે આજના આ લેખ માં કળિયુગ નો અંત કેવી રીતે થશે? તથા આ સમયે કેવી-કેવી પરિસ્થિતિઓ નું સર્જન થશે તેના વિશેની થોડી વિસ્તૃત માહિતી મેળવીએ. બંધુજનો , આ કળિયુગ નો અંત એ હદ્ સુધી ભયજનક છે કે જેની આપણે કલ્પના માત્ર પણ ના કરી શકીએ. જયારે આ કળિયુગ ના અંત નો સમય નિકટ આવશે ત્યારે માનવી નું આયુષ્ય ફકત ૨૦ વર્ષ જેટલું મર્યાદિત થઈ જશે.

ઘણા લોકોનું કહેવું છે કે, આ સૃષ્ટી માં વસવાટ કરતા તમામ પશુઓ , પક્ષીઓ તથા જીવજંતુઓ આ તમામ પ્રજાતિઓ નો વિનાશ થઈ જશે અને તે પાછળનું કારણ પણ મનુષ્ય જ હશે. આ પ્રજાતિઓની આયુ માં ઘટાડો જોવા નહી મળે પરંતુ , મનુષ્ય ની આયુમાં તમે નોંધપાત્ર ઘટાડો નોંધી શકો. કળિયુગ ના અંતિમ સમયગાળા માં મનુષ્ય સમાન વર્તન કરવા માંડશે. માનવી અને પશુ માં કોઈ પ્રકારનું અંતર રહેશે નહી.આ ઉપરાંત ધરતી પર વરસતા વરસાદ ના પ્રમાણ માં પણ ઘટાડો થશે. જેના કારણે આ ધરા નું તાપમાન એ હદ સુધી વધી જશે કે લોકો પોતાના ઘર માં વસવાટ નહી કરી શકે અને જમીન ની નીચે ના ભાગમાં ઘર બનાવીને ત્યાં વસવાટ કરશે.

તમને આશ્ચર્ય થશે કે, આ સૃષ્ટી નો વિનાશ કોઈ પ્રલય , વાવાઝોડું , ભૂકંપ વગેરે જેવી પ્રાકૃતિક આફતો ના કારણે નહી પરંતુ , ધરા પર વધતા જતા ગરમી ના પ્રમાણ ને લીધે થશે. કળિયુગ ના પૂર્ણ થવાના સમય સુધી માં આ ધરા પર ગરમીનું પ્રમાણ એ હદ સુધી વધી જશે કે જે લોકો માટે સહન કરવું અશકય બનશે. આ કળીયુગ ના અંતિમ સમયે વ્યક્તિ ૧૬ વર્ષ ની વયે વૃદ્ધ થઈ જશે તથા ૨૦ વર્ષ ની આયુએ તેનું મૃત્યુ નીપજશે.

કળિયુગ ના અંતિમ સમયે ધરા પણ બિનઉપજાઉ બનશે જેના કારણે મનુષ્યની પરિસ્થિતિ કંઈક એવા પ્રકારની બનશે કે તે સમગ્ર સૃષ્ટીમાં ભોજન મેળવવા માટે આમ-તેમ વલખાં મારશે અને અંતે પોતાની ભૂખ ને સંતોષવા માટે માંસાહારનું સેવન શરૂ કરી દેશે. તો મિત્રો , જેમ-જેમ કળિયુગ નો અંતિમ સમય નજીક આવતો જશે તેમ-તેમ મનુષ્ય નો સ્વભાવ અત્યંત ક્રૂર અને ઘાતકી બની જશે તથા તેમની હાલત દયનીય અને એવી કરૂણ બનશે કે જેની કલ્પના માત્ર થી પણ આપણું શરીર થરથરી ઉઠે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *