પતિ-પત્નીના ઝઘડાનું પરિણામ પાડોશીઓને ભોગવવું પડ્યું, પતિએ ઘરમાં આગ લગાડી તો આજુ-બાજુના 10 ઘર પણ સળગી ગયા

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે પતિ -પત્ની વચ્ચેના ઝઘડાનું પરિણામ પણ તેના પડોશીઓ ભોગવે છે, ના! પણ ખરેખર એવું થયું છે. મહારાષ્ટ્ર(Maharashtra)માં પતિ અને…

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે પતિ -પત્ની વચ્ચેના ઝઘડાનું પરિણામ પણ તેના પડોશીઓ ભોગવે છે, ના! પણ ખરેખર એવું થયું છે. મહારાષ્ટ્ર(Maharashtra)માં પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાનું પરિણામ તેના પડોશીઓને મળ્યું છે. પતિ-પત્ની વચ્ચેનો ઝઘડા(Husband-wife quarrels)નો મામલો એટલો વધી ગયો કે, ગુસ્સામાં વ્યક્તિએ તેના ઘરને આગ લગાવી દીધી અને જેને લીધે આજુબાજુના ઘરમાં આગ લગતા એક સાથે 10 મકાનો સળગી(10 houses burnt down) ગયા.

મહારાષ્ટ્રના મઝગાંવ(Mazgaon)માં બનેલી આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, સંજય પાટીલે તેની પત્ની પલ્લવી સાથે કોઈ મુદ્દે ઝઘડો કર્યો હતો અને મામલો લડાઈ સુધી ગયો હતો. આ દરમિયાન તે વ્યક્તિ ખુબ જ ગુસ્સે થઈ ગયો અને પેટ્રોલ છાંટીને ઘરમાં આગ લગાવી દીધી. આગે તરત જ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સંજયના ઘર તેમજ પડોશના આશરે 10 મકાનોને પણ તેની ઝપેટમાં લઇ લીધા.

પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર, આ ઘરમાં રહેલા ગેસ-સિલિન્ડર હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટના દરમિયાન કોઈ પણ લોકોને જાનહાની થઇ નહોતી. પોલીસનું કહેવું છે કે, આગની આ ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જો કે, આ રાહતની વાત હતી કે આ આગમાં કોઈનું મૃત્યુ કે કોઈની જાનહાની થઇ નથી. આગ લાગવાની ખબર પડતાની સાથે જ ઘરમાં રહેલા તમામ લોકો ઘરની બહાર દોડી ગયા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગની ઘટના બાદ પડોશીઓએ સંજયને પકડીને માર્યો અને બાદમાં તેને પોલીસને સોંપી દીધો. પોલીસે સંજયની ધરપકડ કરી હતી. પત્ની પલ્લવીએ સંજય વિરુદ્ધ ઘરેલુ હિંસા અને મારપીટનો કેસ પણ દાખલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *