જમવાનું ક્યાં બેસીને જમવું જોઇએ? રાજીવ દીક્ષિતે બતાવી છે રીત અને જગ્યા- જાણીને થશે અઢળક ફાયદા

Published on Trishul News at 1:27 PM, Fri, 26 June 2020

Last modified on June 26th, 2020 at 1:27 PM

ભોજન હંમેશા જમીન ઉપર બેસીને ખાવું જોઈએ એટલે કે, સુખાસનમાં ભોજન કરવું જોઇએ. સુખાસનમાં બેસી ને ખાતા સમયે સાથળની નીચેની તરફ લોહીનું પ્રમાણ અટકી જાય છે. જેના કારણે બધું લોહી પેટમાં જમા થઈ છે. જે ભોજન પચાવવા માટે ખૂબ જ મદદ કરે છે. આ સ્થિતિમાં જઠર સૌથી વધુ તીવ્ર હોય છે. ગુરુત્વાકર્ષણ બળ ના કારણે નાભિ ચાર્જ થતી રહે છે. ખુરશી ઉપર બેસવાથી તેની તીવ્રતા ઓછી થઈ જાય છે. ખુરશી પરથી ઉભા થતા તેની તેની તીવ્રતા ઘટી જાય છે. શરીરની અંદર કેટલાક ચક્ર હોય છે જેની અસર જઠર ઉપર પડે છે. ભોજન કરતી વખતે ભોજન જમીન થી થોડી ઉંચાઇ ઉપર રાખવું જોઈએ.

સુખાસન ઉપરાંત ગાયનું દૂધ કાઢવાની છે મુદ્રા હોય છે તેમાં પણ બેસીને ભોજન કરી શકાય છે. આ મુદ્રા શારીરિક શ્રમ વધુ કરવાવાળા લોકો માટે છે એટલે કે, ખેડૂત અથવા મજૂરો માટે આ મુદ્રા છે. સુખાસનમાં બેસીને ભોજન કરવાથી પેટ બહાર નીકળતું નથી. પરંતુ ડાઇનિંગ ટેબલ ઉપર ભોજન કરવાથી પેટ બહાર નીકળે છે. ડાઈનીંગ ટેબલની ખુરશી ઉપર સુખાસનમાં બેસી ને જમવું જોઈએ. શરીર જેટલું પૃથ્વીની નજીક હોય અથવા ગુરુત્વાકર્ષણ બળ નું પ્રમાણ વધુ હોય તેટલું વધુ શરીરને લાભ મળે છે.

સવારે અથવા બપોરે જમીને તરત પછી ઓછામાં ઓછી 20 મીનીટનો આરામ લેવો જોઈએ. આપણા શરીરમાં ત્રણ નાડીઓ છે, સૂર્ય નાડી, ચંદ્રનાડી અને મધ્ય નાડી. સૂર્ય નાડી આપણા ભોજનને પચાવવામાં મદદ કરે છે. ડાબી તરફ પડખું ફરીને સૂવાથી સૂર્યનાડી શરૂ થઈ જાય છે. સ્વસ્થ વ્યક્તિ ની અવસ્થામાં જમતી વખતે જ સૂર્ય નાડી સક્રિય થઈ જાય છે. આરામ દરમિયાન ઊંઘ આવા ઉપર ઊંઘને રોકો નહીં. બપોરનો આરામ 18 વર્ષથી 60 વર્ષ સુધીના લોકો માટે 40 મીનીટ થી 1 કલાક સુધી હોવો જોઈએ. 1 વર્ષથી 18 વર્ષ અને 60 વર્ષની ઉંમરના લોકોએ એક કલાક અથવા દોઢ કલાકનો આરામ કરવો જોઈએ.

જમવાનું પચાવતા સમયે શરીરના બધા અંગોનું લોહી પેટ તરફ આવે છે. જેના કારણે શરીરમાં આળસ નું પ્રમાણ વધે છે. આ કારણે જ ભોજન પછી તરત જ ઊંઘ આવી જાય છે.

બપોરના ભોજન પછી ઊંઘ લેવા માટેના મહત્વ ઉપર આખા વિશ્વમાં થઈ રહી છે. જેના પરિણામરૂપે ઘણી બધી કંપનીઓ તેના કર્મચારીઓ ને બપોરના ભોજન પછી ઊંઘ નો સમય આપે છે. એક રિસર્ચ અનુસાર, જે કર્મચારીઓને બપોરના ભોજન પછી ઊંઘ લેવા માટે સમય આપવામાં આવે છે તે કર્મચારી ની કામ કરવાની ક્ષમતા ત્રણ ગણી વધી જાય છે. ભોજન કર્યા બાદ શરીરમાં લોહીનું પ્રમાણ વધી જાય છે. એટલા માટે જ સવારે અથવા બપોરે ભોજન બાદ 20 થી 40 મિનિટ આરામ કરવો જોઈએ.

ભોજન પચાવવા માટે લોહી પેટમાં હોવું જરૂરી છે. ભોજન કર્યા બાદ કામ કરતા સમયે બીપી ખૂબ જ વધી જાય છે. કોઈ પણ કાર્ય કરતા સમયે બીપી વધી જાય છે. રાતના ભોજન પછી ઓછામાં ઓછું બે કલાક સુધી ક્યારેય આરામ ન કરવો જોઈએ તરત જ ઊંઘ લેવાના કારણે બ્લડ પ્રેશર વધવું બીપી વધવું જેવી બીમારીઓ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "જમવાનું ક્યાં બેસીને જમવું જોઇએ? રાજીવ દીક્ષિતે બતાવી છે રીત અને જગ્યા- જાણીને થશે અઢળક ફાયદા"

Leave a comment

Your email address will not be published.


*