કોણે બનાવી 600 એકરના નગરની ડિઝાઇન? કોઈ એન્જિનિયર નહિ પરંતુ 6 ધોરણ પાસ સ્વામીએ કાગળ-પેનથી તૈયાર કરી…

અમદાવાદ(Ahemdabad): ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવ(Pramukhswami Maharaj Shatabdi Mahotsav)નો આજથી, એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદ(Ahemadabad)…

અમદાવાદ(Ahemdabad): ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવ(Pramukhswami Maharaj Shatabdi Mahotsav)નો આજથી, એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદ(Ahemadabad) ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર વિશાળ સ્વામિનારાયણનગર(Swaminarayan nagar) ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થશે. દેશ-વિદેશમાંથી એક લાખ લોકો મહોત્સવમાં જોડાશે.

15 ડીસેમ્બરથી 15 જાન્યુઆરી એટલે કે 1 મહિનો ચાલનારા મહોત્સવ માટે 600 એકરમાં પ્રમુખસ્વામી નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નગર સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો છે. નગરની રચના અને ડિઝાઇનિંગ ધોરણ 6 પાસ શ્રીજીસ્વરૂપદાસસ્વામીજીએ કર્યું છે. આ નગરની ડિઝાઈન બનાવનાર શ્રીજીસ્વરૂપદાસસ્વામીજીએ કહ્યું, આજે મારે સાધુ થયાને બાવન વર્ષ પૂર્ણ થયાં છે.

જાણો 6 ધોરણ ભણેલા સ્વામીએ કેવી રીતે બનાવ્યું 600 એકરમાં નગર ?
નાની ઉંમરમાં હું સંત થયો અને જ્યારે સંત થયો ત્યારે મને ગુજરાતી વાંચતા કે લખતા પણ આવડતું ન હતું. પ્રમુખસ્વામી બાપાની આજ્ઞાથી પહેલા ત્રણ મહિનામાં ગુજરાતી લખતા-વાંચતા શીખ્યો. પછી બાપાએ મને વિવિધ પ્રોજેકટ પર કામ સોંપ્યું અને જવાબદારીઓ વધી ગઈ. જ્યારે વિવિધ પ્રોજેકટની જવાબદારી બાપા સોંપવા લાગ્યા ત્યારે ખબર પડી કે બાપાએ આ બધું શા માટે શીખવા કહ્યું હતું?

ભારતીય સંસ્કૃતિની પરિકલ્પના કરતો પહેલો પ્રોજેકટ 1981માં કર્યો, જેમાં સિનિયર સાધુઓને હું મદદ કરતો. એ ગેમચેન્જર હતો. પછી તો દિલ્હી અક્ષરધામ, ગાંધીનગર અક્ષરધામની ડિઝાઈન પણ કરી. ગાંધીનગર અક્ષરધામની ડિઝાઈનમાં NIDના જે આર્કિટેક હતા. તે ચાર વર્ષે નીકળી ગયા એ પછી મેં પ્રોજેક્ટ પૂરો કર્યો. દિલ્હી અક્ષરધામનો માસ્ટર પ્લાન પણ મેં તૈયાર કર્યો હતો. ઘણા બધા સાધુઓ સાથે હતા.

અહીં પણ શતાબ્દી મહોત્સવ ઊજવવાનું એક વર્ષ પહેલાં નક્કી કર્યું અને ત્રણ મહિનામાં અમે પ્લાન અને ડિઝાઈન તૈયાર કરી દીધા હતા. કોઈપણ પ્રસંગ હોય તો પ્રમુખ સ્વામી મારાજ પહેલાં વૉશરૂમ, પાણી, પાર્કિંગ અને જમવાનું મળી રહે તેની વ્યવસ્થા કરતાં હતાં, કારણ કે ભક્તોને કોઈ પ્રકારની અગવડતા ન પડે. આ ભાવનાને ધ્યાનમાં રાખીને આ નગરમાં અમે છ ગેટ રાખ્યા છે અને તમામની એન્ટ્રી એકસરખી, એટલે કે દરેક ગેટથી એન્ટ્રી પછી પાર્કિંગ.

કાગળ પર ડિઝાઈન બનાવવી સરળ છે, પણ એવું વાસ્તવિક નગર ઊભું કરવું એ એક પડકાર છે
ત્યાંથી નગરમાં પ્રવેશતાં જ પહેલાં ટોઇલેટ આવે, પછી પાણી અને પછી નાસ્તો અને જમવાનું મળી જાય. પછી મુખ્ય રોડ આવે અને એ પછી જે અક્ષરધામ મંદિર તથા અન્ય એક્ઝિબિશન સ્થળો આવે. મારે બધાને બતાવવાનું છે એ ભાવનાથી કોઈપણ કામ નહીં કરવાનું, મને ઓટો કેડ પણ નથી આવડતું અને કોમ્પ્યુટર પણ નથી આવડતું. હું પેપર અને પેન્સિલ લઈને જ તમામ ડ્રોઇંગ તૈયાર કરી દઉં છું,

પણ જ્યારે કામ કરવા બેસું એ પહેલાં કે પછી એના વિશે કંઈ વિચારતો નથી. જ્યારે કામ કરવા બેસું ત્યારે ત્રણ-ચાર કલાક કરી લઉં ત્યારે જ વિચારું. ત્યારે ભગવાન પણ સાથે હોય એટલે આપોઆપ બધું થતું જાય. નગર ફરવાની જગ્યા નથી, એટલે પ્રમુખસ્વામીની ગરિમા જળવાઈ રહે એ રીતે બધું આયોજન કર્યું છે. તેમનું જીવન ખૂબ સરળ હતું એટલે નગરની કોઈપણ ફસાડમાં એન્ગલ નથી, રાઉન્ડ છે.

એ બાપાના સરળ જીવનનો નિર્દેશ કરે છે. શ્રીજી સ્વરૂપદાસસ્વામીજી એ છેલ્લે એક જ વાત કહી કે, કદાચ કાગળ પર ડિઝાઈન બનાવવી સરળ છે, પણ એવું વાસ્તવિક નગર ઊભું કરવું એ પડકાર છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. જયારે રવિવારે સવારે 9.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રોજ રાત્રે 10.00 વાગ્યે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સ્થળ બંધ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *