કમલનાથના રાજીનામાં બાદ મધ્યપ્રદેશમાં કોની સરકાર બનશે, આ નામ આવ્યું સામે. જાણો વિગતે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સીએમ કમલનાથે કહ્યું કે, હું હંમેશા વિકાસમાં વિશ્વાસ કરું છું. રાજ્યના લોકો આજે પુછે…

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સીએમ કમલનાથે કહ્યું કે, હું હંમેશા વિકાસમાં વિશ્વાસ કરું છું. રાજ્યના લોકો આજે પુછે છે કે કમલનાથની શું ભૂલ છે. જનતાએ મને આખા પાંચ વર્ષ બહુમતી આપી. રાજ્યને છેતરનારા નેતાઓ સાથે લોકો કદી ન્યાય કરશે નહીં. સીએમ કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું આપ્યું, કહ્યું ભાજપ દ્વારા લોકશાહીની હત્યા કરાઈ. સીએમ કમલનાથનું નિવેદન મેં આજે રાજ્યપાલને રાજીનામું આપવાનું નક્કી કર્યું છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે એક વર્ષ ત્રણ મહિના સુધી સરકાર ચલાવ્યા બાદ શુક્રવારે રાજીનામુ આપ્યું છે. તેમના રાજીનામાની સાથે જ ભાજપ માટે સરકારે બનાવવાનો દાવો રજૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. 4 વિભાગમાં જાણો, મધ્યપ્રદેશમાં હવે આગળ શું થશે?

1. ભાજપ સરકાર બનાવવાની તૈયારીમાં

હવે રાજ્યપાલ હાલની સ્થિતિમાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાનું કહી શકે છે. ભાજપ તેને સ્વીકાર કરીને સરકાર બનાવવાનું કહી શકે છે. અથવા તો રાજ્યપાલના કહેવા પહેલા ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. તેઓ ધારાસભ્યોને બીજી વખત પરેડ કરાવી શકે છે અને સમર્થન પત્ર સોંપી શકે છે.

2. ભાજપે બહુમતિ સાબિત કરવી પડશે

જો ભાજપ સરકાર બનાવી લે છે તો પણ તેને વિધાનસભામાં ફલોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ગત વર્ષે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોનો સમર્થન પત્ર રાજ્યપાલને સોંપીને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બાદમાં તેમણે પણ વિધાનસભામાં ફલોર ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું, તેમાં તેઓ જીતી ગયા. કર્ણાટકમાં પણ 2018ની વિધાનસભા ચૂંટણી બાદ ત્રિશંકુ વિધાનસભા બની. રાજ્યપાલે સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવા માટે બોલાવ્યા અને યેદિયુરપ્પા મુખ્યમંત્રી બન્યા. 6 દિવસ બાદ યેદિયુરપ્પાએ ફલોર ટેસ્ટ પહેલા રાજીનામું આપ્યું.

3. શિવરાજ ચોથી વખત સીએમ બની શકે છે

શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત સીએમ બની શકે છે  2005થી 2018 સુધી સતત 13 વર્ષ સીએમ રહી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે ત્રણ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેઓ ફરીથી સીએમ બને છે તો તે મધ્યપ્રદેશના ઈતિહાસમાં પ્રથમ પ્રસંગ હશે, જ્યારે કોઈ ચૌથી વખત શપથ લેશે. શિવરાજ સિવાય અર્જુન સિંહ અને શ્યામચરણ શુક્લ ત્રણ-ત્રણ વખત સીએમ રહ્યાં છે.

4. 6 મહીનાની અંદર બીજી વખત પેટાચૂંટણી થશે

મધ્યપ્રદેશ વિધાનસભામાં 230 સીટ છે. બે ધારાસભ્યોના નીધન બાદ પ્રથમ 2 સીટ ખાલી છે. સિંઘિયા સમર્થક કોંગ્રેસના 22 ધારાસભ્યો બળવાખોર થઈ ગયા હતા. તેમાં 6 મંત્રી હતી. સ્પીકર એન પી પ્રજાપતિ આ તમામના રાજીનામા મંજૂર કરી ચૂક્યા છે. શુક્રવારે સવારે સ્પીકરે કહ્યું ભાજપના ધારાસભ્યો શરદ કોલે પણ રાજીનામુ આપ્યું હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. આ રીતે 25 સીટો હવે ખાલી છે. તેની પર 6 મહીનામાં ચૂંટણી થનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *