અંતિમ સંસ્કારમાં જોડાયા બાદ શા માટે નાહવું જરૂરી છે? જાણો તેનું ચોકાવનારું કારણ

Published on Trishul News at 3:22 PM, Mon, 26 July 2021

Last modified on July 26th, 2021 at 3:22 PM

દરેક ધર્મના પોતાના અલગ-અલગ રીતરિવાજો હોય છે. જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક પોતાના ધર્મ અનુસાર નીતિ નિયમો નીભાવે છે. એવો જ એક રિવાજ હિન્દુ ધર્મમાં પણ થાય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ની અંતિમ યાત્રા નીકળે છે તો તેના અંતિમ સંસ્કાર બાદ તેની અંતિમ સંસ્કાર યાત્રામાં જોડાયેલા તમામ લોકો ન્હાય છે.

હકીકતમાં હિન્દુ ધર્મમાં એવી માન્યતા રહેલી છે કે સ્મશાનભૂમિમાં હંમેશા નકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોય છે.આવામાં કમજોર મનોબળવાળા વ્યક્તિ તેની અસરમાં આવી શકે છે. આ જ કારણ છે કે મહિલાઓને અંતિમ સંસ્કારમાં સામેલ કરવામાં નથી આવતી. કેમ કે પુરુષોની સરખામણીએ તે કમજોર હૃદયવાળા અને ભાવુક હોય છે. એવામાં તેની ઉપર શ્મશાન ભૂમિ નો નકારાત્મક ઉર્જાનો ખરાબ પ્રભાવ પડી શકે છે. એટલા માટે જ અંતિમ સંસ્કાર માં સામેલ થયેલ લોકો નાહીને પોતાને બધી જ નકારાત્મક ઊર્જા થી મુક્ત કરે છે.

અંતિમ સંસ્કારમાં સામેલ થયા પછી નાહવા માટેના રિવાજ પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. જે અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે ત્યારે તેના શરીરમાં બેક્ટેરિયા વધી જાય છે.આવામાં બેક્ટેરિયા શવ ના સંપર્કમાં આવતા બીજા વ્યક્તિઓના શરીરમાં પણ ફેલાઈ જાય છે. આ સિવાય શવ ના અંતિમ સંસ્કાર બાદ ત્યાંનું વાતાવરણ પણ સકમક કીટાણુઓથી ગ્રસિત થઈ જાય છે અને ત્યાં ઉપસ્થિત લોકો પર અસર પડે છે. એટલા માટે જ અંતિમ સંસ્કાર બાદ નાહવું જરૂરી માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "અંતિમ સંસ્કારમાં જોડાયા બાદ શા માટે નાહવું જરૂરી છે? જાણો તેનું ચોકાવનારું કારણ"

Leave a comment

Your email address will not be published.


*