નરેન્દ્ર મોદીએ એકપણ ગુજરાતી નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવો યોગ્ય ન સમજી સી આર પાટીલને ક્યાં કારણે બનાવ્યા?

Published on Trishul News at 5:21 PM, Mon, 20 July 2020

Last modified on July 20th, 2020 at 5:21 PM

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ પદને લઈને જાતજાતની અને ભાતભાતની અટકળો ચાલી રહી હતી. જોકે મીડિયામાં તેમજ સોશિયલ મીડિયામાં પણ જાતજાતના નામો વિશે અટકળો ચલાવવામાં આવતી હતી ત્યારે આજે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલના નામની જાહેરાત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને ચોંકાવી દીધા છે.આ પસંદગી પીએમ મોદીની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જો કે સી આર પાટીલ ની પસંદગી દ્વારા નરેન્દ્ર મોદીએ ગુજરાતની ભાજપ સરકારને આડકતરી રીતે એવો સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં તોડ-જોડ ની રાજનીતિ નહિ પરંતુ વિકાસની રાજનીતિ થવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાંથી અગાઉ કાશીરામ રાણાને આ પદભાર મળ્યો હતો ત્યારબાદ બીજા નંબરે સી.આર.પાટીલને આ પદભાર મળ્યો છે. એમાંય ગુજરાતના જુદા જુદા વર્ગોમાંથી પ્રદેશ પ્રમુખની અટકળો ચાલતી હતી તેના ઉપર પણ નરેન્દ્ર મોદીએ પૂર્ણવિરામ મૂકી ને પક્ષને વફાદાર અને પક્ષમાં રહીને સૌથી સક્રિય કામગીરી કરનાર વ્યક્તિને આ પદભાર સોંપી જાતિવાદ ની રાજનીતિ કરનારાઓને તમાચો માર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીઆર પાટીલે ગુજરાતના ૨૬ સાંસદોમાં સૌથી સક્રિય સાંસદ છે, એટલું જ નહીં દક્ષિણ ગુજરાતની કોઈ પણ સમસ્યા હોય અને એ સમસ્યાના સમાધાનમાં સી.આર.પાટીલ નો ફાળો ન હોય એવું ક્યારેય બન્યું નથી. સુરતની ડાયમંડ તેમજ કાપડના વેપારીઓ ની સમસ્યાઓને પણ ઉકેલવા માટે સીઆર પાટીલે સતત દરમિયાનગીરી કરીને કેન્દ્ર સરકાર સુધી તેની રજૂઆતો કરેલી છે. એટલું જ નહીં નરેન્દ્ર મોદી દ્વારા જે કોઈ યોજના લોન્ચ કરવામાં આવે તેનો તરત જ સી.આર.પાટીલ દ્વારા પોતાના વિસ્તારમાં અમલ કરવામાં પણ આવતો હતો એટલે કે નરેન્દ્ર મોદીની ગુડબુકમાં હંમેશા સી.આર.પાટીલ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "નરેન્દ્ર મોદીએ એકપણ ગુજરાતી નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવો યોગ્ય ન સમજી સી આર પાટીલને ક્યાં કારણે બનાવ્યા?"

Leave a comment

Your email address will not be published.


*