શું 14 એપ્રિલ બાદ પણ શરૂ રહેશે લોકડાઉન? આજે મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની બેઠક

Published on Trishul News at 10:39 AM, Sat, 11 April 2020

Last modified on April 11th, 2020 at 10:39 AM

દેશમાં કોરોનાવાયરસ ને સંક્રમણમાંથી બચાવવા માટે સરકાર બધા પ્રયત્નો કરી રહી છે. તેમ છતાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 6700 લોકો કોરોનાવાયરસ ની ઝપેટમાં આવી ચૂક્યા છે. કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા માટે દેશમાં ૨૧ દિવસનું lockdown લાગુ છે. જોકે આ lockdown ને આગળ વધારવું કે નહીં તેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નિર્ણય લઈ શકે છે.

કોરોના સંકટને નજરમાં રાખતાં 24 માર્ચે દેશમાં ૨૧ દિવસનું lockdown એલાન કરવામાં આવ્યું હતું. 25 માર્ચથી શરૂ થયેલા દેશવ્યાપી lockdown નો છેલ્લો દિવસ 14 એપ્રિલ છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મિટીંગ કરશે.માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં દેશમાં lockdown ને આગળ વધારવું કે નહીં તેના પર નિર્ણય આવી શકે છે.

મુખ્ય મંત્રીઓ સાથે બેઠક આજે 11:00 થશે. મુખ્યમંત્રીઓની સાથે આ બેઠકમાં lockdown ની સમીક્ષા થશે.સરકાર દ્વારા જરૂરત વાળા લોકોને આપવામાં આવનાર સહાય રાશિ અને રેશન પર સમીક્ષા થશે અને lockdown ને આગળ વધારવા પર ચર્ચા પણ સંભવ છે.જોકે આ બેઠકના પહેલા જ ઓરિસ્સામાં ૨૩ એપ્રિલ અને પંજાબમાં એક મે સુધી lockdown વધારવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Be the first to comment on "શું 14 એપ્રિલ બાદ પણ શરૂ રહેશે લોકડાઉન? આજે મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની બેઠક"

Leave a comment

Your email address will not be published.


*