8 માસના બાળકને રમતો મૂકી માતાએ ગળેફાંસો ખાઈ આણ્યો જીવનનો કરુણ અંત- આપઘાતનું કારણ ધ્રુજાવી દેશે

Suicide in Rajkot: રાજ્યમાં દિવસેને દિવસે આપઘાતના બનાવમાં મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે…

Suicide in Rajkot: રાજ્યમાં દિવસેને દિવસે આપઘાતના બનાવમાં મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો રાજકોટ (Rajkot) શહેરના પોપટપરા (Suicide in popatpara)માં રહેતાં 25 વર્ષીય આરતીબેન વિશાલભાઈ ઝરવરિયા ગઈકાલે સાંજે પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત (Suicide in Rajkot) કરીને જીવનનો અંત આણ્યો હતો.

સમગ્ર ઘટના અંગે પ્રદ્યુમનનગર પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહને પોસમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પતિએ જણાવતા કહ્યું હતું કે, તેઓ મજૂરીકામ કરે છે, તેમના લગ્ન આરતીબેન સાથે પાંચ વર્ષ અગાઉ થયેલ હતાં. લગ્નજીવન દરમિયાન તેમણે સંતાનમાં ચાર વર્ષની પુત્રી અને આઠ મહિનાનો પુત્ર છે. તેમની પત્ની લાંબા સમયથી આંચકીની બીમારીથી પીડાઈ રહ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે તેની માતા સાથે તેની પુત્રી સબંધીને ત્યાં ગયા પછી તેઓ પણ મજૂરીકામ માટે ઘરેથી નીકળી ગયા હતાં અને તેઓ પાંચ વાગ્યે ઘરે આવી રૂમનો દરવાજો ખોલતાં પત્ની ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી અને આઠ મહિનાનો પુત્ર બાજુમાં રમતો જોવા મળતાં ચકચાર મચી જવા પામી હતી. આરતીબેને આંચકીની બીમારીથી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વરા આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, પત્નીના આપઘાતને કારણે ચાર વર્ષની પુત્રી અને આઠ મહિનાનો પુત્ર અને પતિ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પત્ની ઘણા સમયથી આંચકીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *