માત્ર લીંબુ સુંઘવાથી થાય છે શરીરને અનેક ફાયદા, જાણીને વિશ્વાસ નહિ થાય

Published on Trishul News at 6:01 PM, Thu, 26 September 2019

Last modified on September 26th, 2019 at 6:01 PM

દરેક લોકો જાણતા હશે કે લીંબૂનું સેવન કરવાથી શરીરને વિટામિન સી મળે છે. આ વાત સૌ કોઈ જાણે છે પરંતુ લીંબૂ શરીરમાં વિટામિનની જરૂરીયાત પૂર્ણ કરે છે તેવું જ નથી. એક નવા અધ્યયન અનુસાર લીંબૂથી એક અનોખો લાભ પણ થાય છે. આ રિસર્ચમાં જણાવાયું છે કે લીંબૂની સુગંધથી વ્યક્તિને વજન ઘટ્યાની અનુભૂતિ થાય છે.

ઉદાહરણ તરીકે લોકો જ્યારે લીંબૂની સુગંધના સંપર્કમાં આવે છે તો તેઓ પાતળા હોવાનું અનુભવે છે. પરંતુ જ્યારે તે વેનીલા સુંધે છે તો તેમને સ્થૂળતા અનુભવાય છે. આ અધ્યયનના તારણને  પ્રકાશિત પણ કરવામાં આવ્યું છે. તેમાં દર્શાવાયું છે કે કેવી રીતે અલગ અલગ સુગંધના કારણે વ્યક્તિ પાતળું હોવાનું અને જાડા હોવાનું અનુભવે છે.

આ સંસોધનમાં જાણવા મળ્યું કે ફ્રિકવેંસી વધારી લોકો હળવા હોવાનું અનુભવે છે. એટલું જ નહીં તે આમ કરી અને ઝડપથી ચાલી પણ શકે છે. જે લોકોને કસરત કરવી પસંદ નથી તેમને પણ આ ક્રિયા મદદ કરે છે. તેની મદદથી તેઓ સરળતાથી કસરત કરી શકે છે. આ ટેકનીકનો ઉપયોગ 2017માં પણ કરવામાં આવ્યો છે જેની મદદથી લોકોને જૂના દુખાવાથી રાહત મળી હતી. આ ઉપરાંત તેમને શારીરિક શ્રમ કરવા માટે પણ તેનાથી પ્રેરણા મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "માત્ર લીંબુ સુંઘવાથી થાય છે શરીરને અનેક ફાયદા, જાણીને વિશ્વાસ નહિ થાય"

Leave a comment

Your email address will not be published.


*