માતાના આંધળા પ્રેમને કારણે માસુમોની જિંદગી થઈ બરબાદ: આ ક્રૂર માતાએ 3 માસૂમને કેનાલમાં નાખી પોતે પણ પ્રેમી સાથે કૂદી પડી

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ તો એક સાથે 5 જિંદગી હોમાઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, થરાદ (Tharad)ના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં ગઈકાલે બાળકો સાથે મહિલાએ ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકે નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ગઈકાલે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ટીમે બે કલાકની ભારે શોધખોળ બાદ ત્રણ બાળકના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ તપાસના બીજા દિવસે એટલે કે આજે માતા સહિત તેના પ્રેમીનો મૃતદેહ લોખંડના તારથી બાંધેલી હાલતમાં મળ્યો છે.

પ્રેમી સાથે સામૂહિક આપઘાત:
મળતી માહિતી અનુસાર, થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં ગઇકાલે ત્રણ બાળક સાથે મહિલાએ ઝંપલાવ્યું હોવાની જાણ કેનાલ પરના લોકોએ થરાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં પાલિકા ફાયર ટીમ અને થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે સ્થળ પરથી મળેલા મોબાઈલ પોલીસે જપ્ત કરી તરવૈયા સુલતાન મીર અને ફાયર ટીમે બે કલાકની ભારે શોધખોળ બાદ બે બાળકના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

આ પછી સાંજે 6 વાગે વધુ એક બાળકનો મૃતદેહ થોડે દૂર તરતો મળ્યો હતો. આ અંગે દેથળી ગામની મહિલાના પતિને જાણવા મળ્યું હતું કે, વાવ તાલુકાના ધરાધરા ગામના તેની જ સમાજના દેવાજી રમેશજી ઠાકોર સાથે પ્રેમસંબંધ હતો. તેથી મહિલાના પતિએ થરાદ પોલીસ મથકે ધરાધરા ગામના તેના જ સમાજના દેવાજી રમેશજી ઠાકોર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજા દિવસે પ્રેમી યુગલોના મૃતદેહ મળ્યા:
આ પછી જયારે વધુ તપાસ કરતા આજે વહેલી સવારે 2 કિમી દૂર જાદલા ગામની કેનાલમાંથી બંને પ્રેમી યુગલોના મૃતદેહ લોખંડના તારથી બાંધેલી હાલતમાં મળ્યા હતા. પાલિકાના તરવૈયાએ મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *