ભણતર સાથે ઘરની જવાબદારીઓ લઇ શહેર આવ્યા’તા, પરંતુ નાનકડી ભૂલે છીનવી ત્રણ પરિવારની જિંદગી

નવા ભેડાઘાટના ખતરનાક પોઈન્ટ પર સેલ્ફી લેવી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ. સેલ્ફી લેવાના પ્રયાસમાં એક શિક્ષક અને બે વિદ્યાર્થીઓ નર્મદા નદીમાં ડૂબી ગયા. એડિશનલ…

નવા ભેડાઘાટના ખતરનાક પોઈન્ટ પર સેલ્ફી લેવી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ. સેલ્ફી લેવાના પ્રયાસમાં એક શિક્ષક અને બે વિદ્યાર્થીઓ નર્મદા નદીમાં ડૂબી ગયા. એડિશનલ એસપી શિવેશ સિંહ બઘેલે જણાવ્યું હતું કે કટની જિલ્લાના વિજયરાઘવગઢથી જબલપુરની એક કોલેજમાં એડમિશન લેવા આવેલા વિદ્યાર્થીઓનું એક જૂથ બપોરે નવા ભેડાઘાટ ગયા હતા. આ દરમિયાન સેલ્ફી લેતી વખતે એક છોકરીનો પગ લપસી ગયો અને તે પાણી માં વહેવા લાગી. આ જોઈને શિક્ષક રાકેશ આર્ય અને વિદ્યાર્થી રામ સાહું એ તેને બચાવવાનો પ્રયાસ કર્યો. તેઓ છોકરીને બચાવી શક્યા ન હતા પરંતુ પાણીમાં ડૂબી ગયા હતા.

મૃતક રામ સાહુના પિતા શ્રીકાંત સાહુએ જણાવ્યું કે તેણે 3 મહિનાથી પુત્રને જોયો નથી. દીકરો તેમના મિત્રો સાથે રાયપુરમાં ભણતો હતો અને પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો. આસપાસ હોવાના કારણે ત્રણેય સારા મિત્રો પણ હતા. પાર્ટ ટાઈમ જોબ કરતી વખતે તેને લગભગ 10 હજાર રૂપિયા પણ મળતા હતા.

ત્રણેય વિદ્યાર્થીઓ તેમના તમામ મિત્રો અને શિક્ષકો સાથે જબલપુરની એક ખાનગી કોલેજમાં એડમિશન લેવા આવ્યા હતા. મૃતક રામ, ખુશ્બુ અને રાકેશ આર્ય ખુબ સારા મિત્રો હતા. એટલે જ જયારે સેલ્ફી લેતી વખતે ખુશ્બુ સિંહનો પગ લપસ્યો ત્યારે તેને ડૂબતા જોઈ, સહાય કરવા શિક્ષકે પણ પ્રયાસ કર્યો હતો. તે જ સમયે, બંનેને ડૂબતા જોઈને રામ પણ બચાવવા કુદયો પરંતુ તે પણ નિષ્ફળ ગયો.

મિત્રોએ મૃતક રામના સંબંધીઓને માહિતી આપી
ખુશ્બુ અને રામના મૃત્યુ બાદ મિત્રોએ ફોન કરીને સંબંધીઓને જાણ કરી, ત્યારબાદ પરિવાર જબલપુર પહોંચ્યો. મૃતક રામના પિતા શ્રીકાંત સાહુએ જણાવ્યું કે રામ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો. તે પોતાની જવાબદારી જાણતો હતો. એટલા માટે તે ઘરથી દૂર રહેતો હતો. રામ 3 મહિનાથી તેના ઘરે ગયો ન હતો. તે તેના પિતાને ફોન પર 15 થી 20 દિવસમાં આવવાનું કહેતો હતો. એ જ મિત્રો કહે છે કે એડમિશન મળ્યા પછી બધા મિત્રો સુખે થી પોતપોતાના ઘરે જવાના હતા. જે બાદ પરિવારના સભ્યોને તમામ માહિતી આપીને તે જબલપુરમાં ભાડા પર રહીને કરિયર શરૂ કરવાના હતા.

શુક્રવારે ત્રીજા દિવસે ગોતાખોરો દ્વારા શિક્ષક અને વિદ્યાર્થીના મૃતદેહ મળી આવ્યા હતા. અગાઉ, તે જ દિવસે વિદ્યાર્થિનીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાસ્થળેથી બે કિલોમીટર દૂર શિક્ષક અને વિદ્યાર્થીના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે જણાવ્યું કે, બંનેના મૃતદેહ પથ્થરો વચ્ચે ફસાયેલા મળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *