ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોની આત્મહત્યા

4 people died by suicide at railway station: આજે 2023ના છેલ્લા દિવસે રાજ્યમાં ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી રહી છે. રાજ્યના ગઢડા તાલુકામાં આવેલા નિંગાળા ગામના રેલ્વે સ્ટેશન પર 4 લીકોએ આપઘાત કરી લીધું હોવાનું સામે આવી રહ્યું છે.મળતી માહિતી અનુસાર, 22થી 25 વર્ષની બે મહિલા તેમજ 2 પુરુષો નિંગાળા રેલવે સ્ટેશન(4 people died by suicide at railway station) પર આપઘાત કરીને મોતને વ્હાલું કર્યું છે. આ ઘટનાને પગલે રેલવે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

ચારેય મૃતકોની ઉંમર 22 થી 25 વર્ષ હોવાનું જાણવા મળ્યું
મળતી માહિતી અનુસાર, ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોના મોતની ઘટનાથી ચકચાર મચી ઉઠ્યો છે છે. મળતી માહિતી મુજબ આશરે 22થી 25 વર્ષની બે મહિલા તેમજ 2 પુરુષોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેઓએ ભાવનગરથી ગાંધીગ્રામ 09216 ટ્રેનમાં આપઘાત કરી મોત વ્હાલું કર્યું હોય તેવુ સામે આવી રહ્યું છે.

આ ઘટનાને પગલે બોટાદ રેલવેના અધિકારી સહિત પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળ પર દોડી આવ્યો છે. હાલમાં મૃતકો કોણ છે અને ક્યાંના રહેવાસી છે. તેમજ ક્યાં કારણોસર ટ્રેન આગળ પડતું મૂકીને મોત વ્હાલું કર્યું તેને લઈ તપાસ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *