નેહરુ મ્યુઝિયમનું નામ પણ બદલાયું, હવે ‘પીએમ મ્યુઝિયમ’ તરીકે ઓળખાશે; PM મોદી કરશે ઉદ્ઘાટન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે(Government of Narendra Modi) નહેરુ મ્યુઝિયમ (Nehru Museum)નું નામ બદલવાનો નિર્ણય લીધો છે. હવે તે પીએમ મ્યુઝિયમ (PM Museum) તરીકે ઓળખાશે. અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનો (Former Prime Ministers)ની યાદો સાચવવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતિ(Ambedkar Jayanti) એટલે કે 14 એપ્રિલે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ મોદીએ આજે ​​બીજેપી સાંસદોને કહ્યું કે, એનડીએ સરકારે 14 ભૂતપૂર્વ વડા પ્રધાનોના યોગદાનને સ્વીકારવા માટે આ પગલાં લીધાં છે. વડાપ્રધાનના સંગ્રહાલયમાં તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોના કાર્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું છે કે, તેમની સરકારે સુનિશ્ચિત કર્યું છે કે તમામ વડાપ્રધાનોના યોગદાનને માન્યતા આપવામાં આવે.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, પીએમ મોદીએ ભાજપના સાંસદોને કહ્યું છે કે ફક્ત એનડી સરકારે અગાઉના વડા પ્રધાનોના યોગદાનને માન્યતા આપવા માટે પગલાં લીધાં છે. પીએમ મોદીએ બીજેપી સાંસદોને બીઆર આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લેવા પણ કહ્યું હતું. બીઆર આંબેડકરની જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય રાજધાનીમાં 14 એપ્રિલે બીઆર આંબેડકર મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન થવાનું છે.

PM મોદી, રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહ આજે નવી દિલ્હીમાં આંબેડકર સેન્ટર ખાતે સંસદીય દળની બેઠકમાં ભાગ લેનારા પક્ષના ટોચના નેતાઓમાં સામેલ હતા. 6 એપ્રિલથી ભાજપ દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીના સ્થાપના દિવસથી લઈને 14 એપ્રિલ એટલે કે બીઆર આંબેડકરની જન્મજયંતિ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ બેઠકમાં જેપી નડ્ડાએ પાર્ટીના આગામી સ્થાપના દિવસના કાર્યક્રમો અંગે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન, બીજેપી સાંસદોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને વધુ છ મહિના લંબાવવા બદલ વડાપ્રધાનને અભિનંદન અને આભાર માનવા માટેની પ્રસ્તાવના પણ પસાર કરી છે. કેન્દ્ર સરકારે શનિવારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) યોજનાને વધુ છ મહિના માટે લંબાવી છે. હવે સપ્ટેમ્બર 2022 સુધીમાં, દરેક લાભાર્થીને અનાજના સામાન્ય ક્વોટા ઉપરાંત દર મહિને વધારાનું 5 કિલો મફત રાશન મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *