ગમતા યુવક સાથે લગ્ન ન થતા ૨૦ વર્ષીય યુવતીએ ઉઠાવ્યું ખૌફનાક પગલું, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો પરિવાર

20 વર્ષની એક યુવતીએ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી મુજબ યુવતીના લગ્ન નક્કી થયા બાદ તે તણાવમાં રહેવા લાગી હતી. જેના કારણે તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે જે છોકરા સાથે યુવતીના લગ્ન નક્કી થયા હતા તે છોકરો તેને પસંદ નહોતો. ઘણી વાર તેણે પરિવારને આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહીં. જેનાથી કંટાળીને તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

રામ ગોપાલની 20 વર્ષની દીકરી અને બધા લોકો મોડી સાંજે જમ્યા પછી પોતાના રૂમમાં સૂઈ ગયા. સવારે લાંબા સમય સુધી પુત્રી બહાર ન આવતા પરિવારને થોડી શંકા હતી. જ્યારે છોકરી રૂમની અંદર ગઈ તો તેણે જોયું કે દીકરીનો મૃતદેહ ફાંસીથી લટકતો હતો. ઘરમાં બૂમો પડતાં પરિવારના તમામ સભ્યો એકઠા થઈ ગયા હતા.

પરિવારના સભ્યોનું કહેવું છે કે તેને કોઈ બાબતે ઠપકો આપવામાં આવ્યો ન હતો. અમને ખબર નથી કે તેણે આટલું મોટું પગલું કેમ ભર્યું. મૃતક યુવતીએ BAનો અભ્યાસ કર્યો હતો. તેના 2 ભાઈઓ છે, એક દિલ્હીમાં નોકરી કરે છે અને બીજો ચિત્રકૂટમાં અભ્યાસ કરે છે. પોલીસની પૂછપરછ દરમિયાન પરિવારજનો આપઘાતનું કોઈ કારણ જણાવી શક્યા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *