જૂનાગઢમાં 35 વર્ષીય યુવકે ડેમમાં ઝંપલાવી આણ્યો જીવનનો અંત- આપઘાતનું કારણ જાણી ધ્રુજી ઉઠશો

Suicide in Junagadh: જૂનાગઢ (Junagadh)માંથી એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. વાત કરવામાં આવે તો ગઈકાલે બપોરના સમયે દાતાર રોડ વાણંદ સોસાયટીમાં રહેતા મેહુલ હરિભાઈ…

Suicide in Junagadh: જૂનાગઢ (Junagadh)માંથી એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. વાત કરવામાં આવે તો ગઈકાલે બપોરના સમયે દાતાર રોડ વાણંદ સોસાયટીમાં રહેતા મેહુલ હરિભાઈ ટાટમીયા નામના 35 વર્ષના યુવકે આપઘાત કરી લીધો હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા 5 વર્ષથી અસ્થમાની બીમારી (Asthma disease)થી કંટાળીને વિલીંગ્ડન ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે.

મહત્વનું છે કે, બપોરના સમયે વિલીંગ્ડન રેકડી ધારકોને કોઈ વ્યક્તિનો મૃતદેહ ડેમમાં દેખાતા ડેમ પર લોકો ભેગા થઇ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢી પોલીસને આ બનાવ અંગેની જાણ કરવામાં આવી હતી અને ડેમમાં પડી આપઘાત કરનાર યુવક મેહુલ હરિભાઈ ટાટમીયા નામના યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, જાણવા મળ્યું છે કે, મેહુલ ટાટમીયા છેલ્લા 5 વર્ષથી અસ્થમાની બીમારી પીડાતો હતો અને પોતે પરિણીત હતો. ત્યારે જૂનાગઢમાં જ વાળંદની દુકાન ધરાવતો 35 વર્ષાન યુવાને ડેમમાં ઝંપલાવી આપઘાત કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે ત્યારે ભવનાથ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 35 વર્ષના યુવકના આપઘાતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. હાલમાં તો પોલીસ દ્વારા મૃતદેહને કબજે લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *