હવે બ્રાહ્મણ કહેશે તો જ બનશે લગ્નનું સર્ટિફિકેટ, બદલાઈ ગયા છે નિયમ

Marriage Registration Rules: હવે લગ્ન નોંધણી લગ્નના સ્થળના આધારે નહીં પરંતુ તે સ્થળના તાલુકાની સબ-રજિસ્ટ્રાર કચેરીમાં થશે. જ્યાં કન્યા અને વરરાજા અથવા (Marriage Registration Rules) તેમના માતાપિતા રહે છે. લગ્ન નોંધણી દરમિયાન, પરિવારના એક સભ્યએ પણ ત્યાં હાજર રહેવું પડશે.

ઉત્તરપ્રદેશની  યોગી આદિત્યનાથ સરકારે એક ખૂબ જ મહત્વનો ફેરફાર કર્યો છે. જે અંતર્ગત દેશભરમાં થતા ફેક લગ્ન નોંધણીને લાવવા માટે અસરદાર પગલું ગણી શકાય. આ નિર્ણય અલ્હાબાદ હાઇકોર્ટની ટકોર બાદ લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે આજકાલ ખૂબ જ ચર્ચાઓમાં રહેલી લુટેરી દુલ્હનો પર થોડા અંશે લગામ લગાવી શકાશે.આ ઉપરાંત છોકરા-છોકરીઓ જે ભાગીને લગ્ન કરી રહ્યા છે તેના ઉપર પણ અંકુશ આવશે.

સાક્ષી વગર લગ્નની નોંધણી થશે નહીં
જો કોઈ કારણોસર પરિવારનો કોઈ સભ્ય ન આવી શકે, તો લગ્નનું સંચાલન કરનાર પંડિત, મૌલવી અથવા પારધીએ ઓફિસમાં આવવું પડશે. તેમની જુબાની પછી જ લગ્નની નોંધણી કરવામાં આવશે. એટલું જ નહીં, લગ્નનો વીડિયો પણ પેન ડ્રાઇવમાં ઓફિસમાં સબમિટ કરવાનો રહેશે.

ખોટી રીતથી લગ્ન કરનારાની ખેર નથી
તમને જણાવી દઈએ કે પહેલા લગ્નની નોંધણી લગ્ન સ્થળના આધારે થતી હતી. આ સિસ્ટમમાં, નકલી લગ્નો વિશે વારંવાર પ્રશ્નો ઉભા થતા હતા. લગ્ન નોંધણીમાં થતી છેતરપિંડી રોકવા માટે સરકારે આ પગલું ભર્યું છે. હવે બધાએ આ નિયમનું પાલન કરવું પડશે.

શનિવારથી લગ્ન નોંધણી માટેના નવા નિયમો અમલમાં આવશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એઆઈજી સ્ટેમ્પ પુષ્પેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે વહીવટીતંત્રે શુક્રવારે લગ્ન નોંધણી અંગે એક આદેશ જારી કર્યો હતો. આ નવો નિયમ શનિવારથી અમલમાં આવી ગયો છે. આ મામલે સબ રજિસ્ટ્રારને પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે.

હવે પંડિતની જુબાની જરૂરી રહેશે
નવો નિયમ અમલમાં આવ્યા પછી, પરિવારની સંમતિ વિના ગુપ્ત રીતે લગ્ન કરવા અને નોંધણી કરાવવાનું સરળ રહેશે નહીં. લગ્ન સંબંધોના અધૂરા પુરાવા સ્વીકારવામાં આવશે નહીં. લગ્નના નક્કર પુરાવા અને બ્રાહ્મણની જુબાની હવે જરૂરી રહેશે.