હેલ્મેટ મામલે ગુજરાત સરકારે આ લોકોને જ પહેરવામાંથી આપી છે છૂટ, જાણો એ કોણ છે ?

રાજ્ય સરકારે 4 ડિસેમ્બર ના રોજ રાજ્યમાં સિટીમાં હેલ્મેટ મરજિયાતની જાહેરાત કરી હતી તે આજે ગુજરાત હાઈકોર્ટે રદ્દ ઠેરાવી છે. પહેલાની જેમ આજથી જ ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં હેલ્મેટ મરજિયાતનો પરિપત્ર કર્યો નથી અને કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. ફરજિયાત છે તેવું કહેવામાં આવ્યું છે.

જે અંગે 28 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ અંગે ગુજરાત રાજ્ય સરકારને નોટીસ આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો. હેલમેટના કાયદા અંગે સંજયે કહ્યું હતું કે, સરકાર લોકોના સુરક્ષાના મુદ્દે કાયદો હટાવી ન શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરીને વકીલ વગર જાતે જ કેસ લડ્યાં હતાં.

સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ 1988 સેક્શન 129 મુજબ બાઇક ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ હેલમેટ પહેરવું ફરજિયાત હોય છે. જેમાંથી 4 વર્ષ સુધીના બાળકો અને સીખ સમુદાયને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. જે નિયમમાં સુધારો કરીને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989માં બાઇક પાછળ બેસનારી મહિલા અને 12 વર્ષથી નીચેના બાળકોને હેલમેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. અન્ય રાજ્યોમાં જ્યારે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વાહન ચાલક અને પાછળ બેસવા વાળા બંનેને હેલમેટ ફરજિયાત હોઈ છે, ત્યારે ગુજરાતમાં હેલમેટ પેહરવામાંથી મુક્તિ કેમ આપવામાં આવી તે પણ એક સવાલ છે.

પેશાવરમાં શીખ સમુદાયના લોકો મોટરસાયકલની સવારી દરમ્યાન હેલ્મેટ પહેરવાથી તેમને મુક્તિ મળી ગઈ છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક સભ્યએ કહ્યું હતું કે ખૈબર પખ્તુનખ્વાહ એસેમ્બલીમાં આ મુદ્દો ઉઠ્યો છે જેના પછી પોલીસ સમુદાયે લોકોને હેલ્મેટ પહેરવા પર છૂટછાટ આપી દીધી છે અને આ એવા લોકો માટે છૂટ છે જે પાઘડી પહેરે છે.

અમે ક્યારેય હેલ્મેટને મરજીયાત કર્યું જ નથી: સરકાર

રાજ્યના મહાનગરોમાં હેલ્મેટ મરજિયાત મુદ્દે સરકારે પલ્ટી મારી છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટને ક્યારેય મરજિયાત કરવામાં આવ્યુ નથી. રાજ્ય સરકારે નવા મોટર વ્હિકલ એક્ટ બાદ ગુજરાતમાં હેલ્મેટના કાયદાનો બહોળા પ્રમાણમાં વિરોધ થઇ રહ્યો હતો. જેને લઇને રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી. જેને લઇને હેલમેટ મરજિયાત કરવા બદલ હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા નોટીસને આપવામાં આવી હતી. જેના જવાબમાં સરકારે સોગંદનામું રજૂ કરીને ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજિયાત નથી કરાયું, ફરજિયાત જ છે. સરકારે વધુમાં કહ્યું હતુ કે, પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે.

રાજ્ય સરકારના અવનવા કારણો

ગત દિવસે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ટુ વ્હિલરો ચાલકોની હાલાકી અને હાડમારીની વ્યાપક ફરિયાદોને આધારે હેલમેટમાંથી મુક્તિ આપવા નિર્ણય લેવાયો હતો. વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ એવુ કબૂલ્યું હતું કે, આખાય રાજ્યમાંથી હેલમેટથી મુક્તિ આપવા ફરિયાદો સરકારને મળી હતી. સોશિયલ મિડીયામાં વિરોધ થઇ રહ્યો હતો.આ ઉપરાંત સામાજીક પ્રસંગો હોય કે,સ્મશાન ઘાટ જવાનુ હોય ત્યારે હેલમેટને ક્યાં સાચવવું એ અંગે લોકોને ખુબ જ વધુ અવગડ ઉભી થતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *