રેલવે ટીકીટની કાળાબજારી કરતા ત્રણ લોકોને હજારોની ટીકીટો સાથે ઝડપી લીધા

હજી ટ્રેનોનું રાબેતા મુજબ સંચાલન શરૂ થયું નથી અને ફક્ત થોડી ઘણી ટ્રેનો દોડે છે ત્યારે લોકોની જરૂરિયાતનો ફાયદો ઉઠાવી ટિકિટના કાળાબજાર કરતા 3 એજન્ટોને રેલ્વે પોલીસે ઝડપી પાડ્યા હતા. 3 તારીખે સુરત આરપીએફને માહિતી મળી હતી કે, વાપીમાં કોઈ એજન્ટ મેંગો સોફ્ટવેરનો ઉપયોગ કરી રેલવે ટિકિટોના કાળાબજાર કરી રહ્યો છે.

ક્રાઇમબ્રાન્ચની ટીમે વાપીના અમૃત નગરમાં રહેતા અબ્દુલ સત્તારને પકડી રૂ. 22,858ની કિંમતની કુલ 22 હજાર કરતા પણ વધારે ‘ઇ ટિકિટ’ કબજે કરી હતી. કાળાબજાર માટેનું સોફ્ટવેર અબ્દુલે સલમાન નામના વ્યક્તિ પાસે ખરીદ્યું હતું.

વાપીના જ મોનાલી એપા.માંથી અહેમદ પટેલને 28 ‘ઇ ટિકિટ’ તેમજ સુરતમાંથી મેંગો સોફ્ટવેર વડે ટિકિટના કાળાબજાર કરતા વીગ્નેશવર જાનાને ઝડપી પાડવામાં આવ્યો હતો. અને રેલ્વે ટીકીટમાં મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *