દીકરીના લગ્ન માટે ખરેખર મોદી સરકાર આપી રહી છે 40 હજાર રૂપિયા? જાણો શું છે હકીકત?

સોશિયલ મીડિયા પર ઘણા બધા સમાચારો વાયરલ થતા હોય છે, જે સમાચાર લોકોને ખોટો ભરોસો અને ખોટા વિશ્વાસ આપતા હોય છે. જો કે લોકો સમજ્યા-વિચાર્યા વિના તે સમાચારને વાયરલ કરી દેતા હોય છે, પરંતુ જ્યારે એમને સાચી હકીકતની જાણ થાય છે, ત્યાં સુધીમાં તો મોડું થઇ ગયું હોય છે. એ સમયમાં ફેક્ટ ચેક ખૂબ કામ આવે છે.

થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર વધુ એક સમાચાર વાયરલ થયા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું, કે કેન્દ્ર સરકાર પીએમ મોદી ના નામથી એક ‘કન્યા વિવાહ યોજના’ શરુ કરવાની છે કે જેમાં લોકોને 40 હજાર રૂપિયાની રોકડ રકમ મદદ સ્વરૂપે આપવામાં આવી રહી છે. આ રકમ સીધી બેંક એકાઉન્ટમાં જ જમા કરવામાં આવી રહી છે.

આ છે ફેક્ટ ચેક્ટ…
પીઆઇબી ફેક્ટ ચેકટ એ ટ્વીટર પર જાહેર કરી જાણકારી અનુસાર, આવી યોજના કોઈ બનાવવામાં આવી નથી અને કોઇપણ વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાંસફર કરવામાં આવી રહ્યા નથી.

Youtube પર એક વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર ‘પ્રધાનમંત્રી કન્યા વિવાહ યોજના’ હેઠળ પુત્રીઓને તેમના વિવાહ માટે ₹40,000 સુધીની રકમ આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *