સામાન્ય લોકો માટે આવ્યા રાહતના સમાચાર: મોદી સરકારે ટેક્સને લઈને લીધો મોટો નિર્ણય- જાણો જલ્દી

હાલમાં મોદી સરકાર દ્વારા સામાન્ય લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે કહ્યું છે કે, સામાન્ય માણસ પર કોઈ નવો ટેક્સ લગાવવામાં આવશે નહીં. હકિકતમાં બજેટ પહેલા એક ચર્ચા થઈ રહી હતી કે, બજેટમાં કોવિડ સેસ સામાન્ય માણસ ઉપર લગાવવામાં આવી શકે છે. જોકે, બજેટમાં આવી કોઈ જાહેરાત થઈ નથી, લોકો હજી પણ વિચારી રહ્યા હતા કે, કોવિડ સેસ પછીથી જાહેર થઈ શકે છે. હવે સરકારી સૂત્રો પાસેથી મળેલા સમાચારો મુજબ હવે કોઈ નવો ટેક્સ લગાવવામાં આવશે નહીં.

2021ના ​​બજેટમાં જ પીએમ મોદીએ ભાર મૂક્યો હતો કે, કોવિડ સેસ અથવા ટેક્સ સામાન્ય માણસ પર લગાવવામાં નહીં આવે. હકીકતમાં પીએમ મોદી અને સરકારનું એવું માનવુ છે કે, કોવિડ સેસ લાગુ કરવાથી લોકોના હાથમાં આવતા પૈસા ઓછા થઈ જશે અને આવી સ્થિતિમાં લોકો ખર્ચ ઘટાડશે. હાલમાં, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વધુ માંગ પેદા કરવાની જરૂર છે. જેથી લોકો ઝડપથી પૈસા ખર્ચ કરે અને અર્થવ્યવસ્થા પાટા પર આવે. જો બધી કંપનીઓના ઉત્પાદનો વેચાય તો સરકારને જીએસટી મળશે, સાથે સાથે જ્યારે કંપનીઓને ફાયદો થશે, ત્યારે કંપનીઓ દ્વારા પણ ટેક્સ ભરવામાં આવશે, જે સરકારની આવક વધારશે.

લોકોને કોરોના વાયરસથી બચાવવા માટે સરકાર કોરોના રસી લોકોને લગાવી રહી છે. આ માટે ઘણાં પૈસાની જરૂર પડશે. ઘણા રાજ્યો પણ આ માટે સબસિડીની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારના ખર્ચમાં ઝડપથી વધારો થશે, જેના કારણે એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે સરકાર તેની આવક વધારવા માટે અને આ ખર્ચને પહોંચી વળવા માટે કોવિડ સેસ અથવા ટેક્સ લગાવી શકે છે.

નવો ટેક્સ નહીં લગાવવાનો મોદી સરકારના નિર્ણય પાછળનું કારણ એ પણ છે કે, લોકો પહેલાથી ડરેલા અને પરેશાન છે. આવી સ્થિતિમાં મોદી સરકાર લોકો વધુ પરેશાન થાય તેવું ઇચ્છતી નથી. કોરોનાકાળમાં લોકડાઉનને કારણે બધા વ્યવહારો બંધ થઈ ગયા હતા. ઘણા લોકોનો પગાર કપાયો તો ઘણા લોકોની નોકરી બંધ થઇ ગઈ. આવી સ્થિતિમાં સરકાર નથી ઇચ્છતી કે, બીજા સેસનો ભાર તેમના પર પડે અને તેઓ ખર્ચ કરવામાં અચકાય. પહેલેથી જ લોકો ખિસ્સામાંથી પૈસા કાઢતા અચકાઈ રહ્યા છે. તેઓને એ વાતનો ડર છે કે ફરી નોકરી જતી ન રહે, તેથી લોકો કાળજીપૂર્વક પૈસા ખર્ચ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *